બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા વિશ્વ વંદનીય, ભારતીય સંવિધાનના નિમર્તિા અને શિલ્પકાર ડો. બાબા સાહેબ આંબેડકરને તેમના 68મા પરિનિવર્ણિ દિને લાલ બંગલા સ્થિત ડો. આંબેડકર પ્રતિમાએ સવારના 9:00 કલાકે બુદ્ધ વંદના તથા શ્રદ્ધા સુમન આદરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત ખજાનચી મેઘજીભાઈ શીંગરખીયા દ્વારા પ્રમુખ ધીરજલાલ ગોહિલ દ્વારા ડો. આંબેડકરના ચરણ કમળોમાં પુષ્પો અર્પણ કરી, ધુપબત્તી, મીણબત્તી તથા દીપ પ્રગટાવી સમુહ બુદ્ધ વંદના લેવામાં આવેલ.
ત્યારબાદ બૌદ્ધ સમાજના પ્રમુખ મિલિન્દ મકવાણા દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને પૂર્ણ કદની પુષ્પમાળા પહેરવવામાં આવેલ હતી અને ઉપસ્થિત ઉપાસક, ઉપાસિકાઓના સમુહ દ્વારા ફુલમાળાઓ અર્પણ કરેલ અને ’ડો. બાબા સાહેબ આંબેડકર અમર રહો, બાબા સાહેબને કયા કિયા -દેશ કો સંવિધાન દીયા તથા જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ અમર રહેગા’ ના નાદ સાથે શ્રદ્ધા સુમન કરી આદરાર્જલી આપી હતી.
આ કાર્યક્રમમાં દેવજીભાઈ રાઠોડ, માધવજીભાઈ ચાવડા, નાગજીભાઈ પાંડાવદરા, વિનોદ રાઠોડ, અજબરાવ ભગત, કિરણભાઈ મકવાણા, નિલેશભાઈ વાનખેડે, દિપકભાઈ ગોહિલ, શામજીભાઈ પરમાર, ભરત ગોહિલ તથા શારદાબેન ભગત, નયનાબેન વાણવી, વિજ્યાબેન બૌદ્ધ, હંસાબેન બૌદ્ધ, વષર્બિેન, રેખાબેન ગોહિલ વિગેરે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી મનુભાઈ મકવાણાએ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech