ગઇકાલે જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, એક તરફ વહિવટી તંત્ર અને સતાધીશો દ્વારા કાર્યક્રમો યોજાયા હતાં તો બીજી તરફ ખાનગી ધોરણે પણ એક વિશેષ આયોજન થયું હતું.
જેમાં રાજેશભાઇ ગાંધી દ્વારા ૧૫૦મી જન્મજયંતિના અનુસંધાને ૧૫૦ કિલોની કેક કાપવામાં આવી હતી અને ઉપસ્થિત મનો દિવ્યાંગ બાળકોને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ ખુબ યાદગાર બની રહ્યો હતો, મહેમાનોએ પણ હાજરી આપી હતી, અબ બનેગી હર બીટીયા અફસર બીટીયાના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.