દેવ દિવાળીના પર્વે કાશી નગરી 25 લાખ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠી હતી. 84 ઘાટ પર પ્રગટાવવામાં આવેલા દીવાઓએ ગંગા નદીને સોનાની ચાદરથી ઢાંકી દીધી હતી. આ ઉપરાંત આકાશમાં 60 મિનિટ સુધી આતશબાજી અને લેસર શોએ આ પર્વને વધુ અદભુત બનાવ્યું હતું.
આ અવસર પર એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહા આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. કાશીના ગંગા ઘાટ પર આયોજિત આ ભવ્ય દેવ દિવાળીએ દેશ-વિદેશના લોકોને આકર્ષ્યા હતા.
ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરના વધની યાદમાં સ્વર્ગમાં દેવતાઓ દ્વારા ઉજવવામાં આવેલ 'દેવ દીપાવલી'નો તહેવાર કાશીમાં તેની તમામ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવે છે.
ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરના વધની યાદમાં સ્વર્ગમાં દેવતાઓ દ્વારા ઉજવવામાં આવેલ 'દેવ દીપાવલી'નો તહેવાર કાશીમાં તેની તમામ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવે છે.
દેવ દિવાળીમાં ભાગ લેવા માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, રાજ્યના અન્ય મંત્રીઓ અને દેશ-વિદેશના ડઝનબંધ VVIP અને પ્રવાસીઓ કાશી પહોંચ્યા હતા.
કાશીમાં લગભગ પાંચ કલાકના રોકાણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ 90 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નમોઘાટનું ઉદ્ઘાટન કર્યું. ઘાટ પર દીપ પ્રગટાવીને દેવ દિવાળીના મહાન તહેવારની શરૂઆત કરી. આ સાથે, ઉપરાષ્ટ્રપતિએ અલૌકિક પ્રકાશમાં ડૂબેલા ગંગા ઘાટની સુંદરતાની પ્રશંસા કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech