અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજ્યસભામાં ગરમાગરમ ચર્ચા જોવા મળી છે. વિરોધ પક્ષના નેતા શક્તિસિંહે આ મામલે સરકારને ઘેરી છે અને આ કાંડને સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ એક દેશવ્યાપી રેકેટ છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.
શક્તિસિંહે શું કહ્યું?
શક્તિસિંહે આરોપ લગાવ્યો છે કે આ કાંડમાં કેટલાક લોકો સામેલ છે અને તેઓ આ મામલે સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મામલે સીબીઆઈ તપાસ જરૂરી છે જેથી કરીને દોષિતો સામે કાર્યવાહી કરી શકાય.
મહત્વનું છે કે આજે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કેસમાં ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર ડૉક્ટર રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી થકી ડૉક્ટર રાજશ્રી કોઠારીએ કહ્યું કે, આ કૌભાંડમાં તેમની કોઈ ભૂમિકા નથી. સાથે જ તેમણે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. જ્યારે, બીજી તરફ રાજ્ય સરકારે ડૉક્ટર રાજશ્રી કોઠારીની અરજીનો પૂરજોર વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, તપાસનાં તબક્કે આગોતરા જામીન મંજૂર ન કરવા જોઈએ. આ મામલે ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech