હરિધવા રોડ પરની અયોધ્યા સોસાયટી–૫માં રહેતા કારખાનેદાર અમિતભાઇ પરસોતમભાઈ સગપરિયા (ઉ.વ.૪૦)ના યુવક સવારે સાતેક વાગ્યે ઘરેથી પત્ની રીનાબેન સાથે પંચનાથ પ્લોટમાં આવેલા શ્રી સીમંધર જૈન મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે પત્ની રીનાબેન પૂજા કરતા હતા એ સમયે ભાવેશ ગોલ નામનો શખ્સ મંદિરમાં આવી દંપતી પૂજા કરતું હતું ત્યાં આવીને અમિતભાઇ ઉપર છરી વડે હત્પમલો કરતા મંદિરમાં નાસભાગ મચી જવા પામી હતી. છોડાવવા વચ્ચે પડતા તેમની પત્ની રીનાબેનને પણ ઇજા થઈ હતી. હત્પમલામાં અમિતભાઈને પડખા સહિતના ભાગે છરીના ઘા લાગી જતા તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધવાની તજવીજ કરી હતી. અમિતભાઈ સોરઠીયાવાડી નજીક હાર્ડવેરનું કારખાનું ધરાવે છે. અને બે ભાઇમાં મોટા છે, સંતાનમાં બે દીકરી છે. બનાવ અંગે પત્ની રીનાબેનના કહેવા મુજબ અમે પાંચેક વર્ષ પહેલા ભાવેશ ગોલના મકાનમાં ભાડે રહેતા હતા બાદમાં અમે અયોધ્યા સોસાયટીમાં ઘરનું મકાન લઇ લેતા અહીં રહેવા આવી ગયા હતા. ભાડે રહેતા ત્યારે ભાવેશ એકલો રહેતો હોવાથી નાના ભાઈની જેમ રાખતા હતા. અગાઉ તેણે બે વખત મારા પતિ ઉપર હત્પમલો કર્યેા હતો. હત્પં જૈન ધર્મ પાળું છું એટલે આજે સવારે અમે પંચનાથ પ્લોટમાં આવેલા શ્રી સીમંધર જૈન મંદિરમાં પૂજા માટે ગયા હતા ત્યારે ત્યાં આવી કોઈ કારણ વગર મારા પતિ ઉપર છરી વડે હત્પમલો કર્યેા હતો. બનાવ અંગે એ–ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech