જામનગરનાના બહુચર્ચિત શિક્ષિકા આપઘાત કેસના ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.એ ઝડપી લીધો

  • April 24, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકા ના આપઘાતના બહુ ચર્ચિત કેસમાં છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ની ટીમે શોધી કાઢ્યો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.


જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ ૧૧ માસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતક ના ભાઈ ઇશાકભાઈ ઇબ્રાહમભાઈ હુંદડા એ જામનગરના ત્રણ આરોપીઓ અફરોઝ ચમડિયા, રજાક સાઇચા અને અખ્તર ચમડીયા સામે ફરિયાદ નોંધાવી હતી, જેઓના ત્રાસ ના કારણે તેણીની બહેને આત્મહત્યા કરી લીધી હોવાની સુસાઇડ નોટ પણ પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

જે ગુનામાં આરોપી અફરોઝ તૈયબભાઈ ચમડીયા નાસતો ફરતો રહ્યો હતો, જે આરોપી ધ્રોળ તાલુકાના લૈયારા નજીક એક દરગાહ પાસે ઉભેલો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેશ લડનારા એડવોકેટ કે જેની તાજેતરમાં હત્યા નીપજાવાઈ હતી, તે શિક્ષિકા આપઘાત  પ્રકરણના ફરારી આરોપીની એલસીબી ની ટીમ દ્વારા અટકાયત કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application