એક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
અત્યારે તહેવારોની શરૂઆત થઈ ચુકી છે.! જેમાં હાલ નવરાત્રીનું પવિત્ર અને પાવન પર્વ ચાલી રહ્યું છે.! જેમાં બહેન-દિકરીઓ મોડે સુધી ગરબા રમી અને પોતાના ઘરે પરત ફરતાં હોય છે.! ત્યારે પોલીસની સાથે રહીને કાયદો-વ્યવસ્થામાં મદદ કરવાની જવાબદારી હોમગાર્ડઝ સભ્યોની પણ એટલી જ રહેલ છે.!
હોમગાર્ડઝ સભ્યો કાયમ રાત્રી અને દિવસ ફરજો બજાવતા હોય છે.! પરંતુ જ્યારે કોઈ તહેવારો હોય ત્યારે., તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડઝ સભ્યોએ સતર્ક રહીને સમયસર પોતાની ફરજ બજાવવાની હોય છે.! જેમાં બેદરકારી દાખવવી ખુબ જ ગંભીર બાબત ગણાય.!
આવી બેદરકારી દાખવનાર જામનગર સીટી એ યુનિટના ૯-નવ., સીટી બી યુનિટના ૩-ત્રણ અને સીટી સી યુનિટના ૩-ત્રણ મળી એમ કુલ ૧૫-પંદર હોમગાર્ડઝ સભ્યોને નવરાત્રી ફરજ અને નવરાત્રિ સમયે રાત્રિ ફરજ દરમ્યાન બેદરકારી દાખવવા બદલ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી એલ સરવૈયાએ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો છે.!
આ ઉપરાંત અન્ય એક હોમગાર્ડઝ સભ્ય પર છેલ્લા ચાર પાંચ વર્ષથી ફોજદારી કેસ ચાલતો હોવા છતાં તેની હકિકત પોતાની સીટી ઓફિસ અને જિલ્લા કચેરીથી છુપાવી રાખેલ હતી અને એ કેસમાં એક વર્ષની સજા થતાં પકડ વોરંટના આધારે જેલમાં મોકલી દેવામાં આવતાં અને ૪૮-અડતાલીસ કલાકથી વધુ સમય જેલમાં વિતાવેલ હોય અને નામદાર કોર્ટે સજા ફટકારેલ હોય હોમગાર્ડઝ એક્ટની કલમ ૬(ખ-૧) મુજબ એ હોમગાર્ડઝ સભ્યને દળ માંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech