દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે. 97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે. જેમાંથી ગુજરાતની સુરત લોકસભા સીટ સિવાય 542 સીટો પર નિર્ણય આવતીકાલે એટલે કે 4 જૂન, 2024ના રોજ આવશે.
97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે. જેમાંથી ગુજરાતની સુરત લોકસભા સીટ સિવાય 542 સીટો પર નિર્ણય આવતીકાલે એટલે કે 4 જૂન, 2024ના રોજ આવશે. આવા સંજોગોમાં આપણા સૌના મનમાં એક પ્રશ્ન આવે છે કે આટલી મોટી સંખ્યામાં મતોની ગણતરી કોણ કરે છે અને કેવી રીતે થાય છે?
આટલી મોટી સંખ્યામાં મતોની ગણતરી કોણ કરશે?
ચૂંટણી પંચ (ECI) દ્વારા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, જેઓ આવતીકાલે એટલે કે 4 જૂને પારદર્શિતા સાથે અને કોઈપણ અવરોધ વિના મત ગણતરી હાથ ધરશે. લોકસભા ચૂંટણીમાં, મતોની ગણતરી રિટર્નિંગ ઓફિસર (RO) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (AROS) ની દેખરેખ હેઠળ મોટા હોલમાં થાય છે. આ સિવાય ચૂંટણી પંચ વતી એક વરિષ્ઠ અધિકારી નિરીક્ષક તરીકે તૈનાત છે.
મતગણતરી શરૂ કરતા પહેલા રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર મતની ગુપ્તતા જાળવવાના શપથ લેશે. મતગણતરી શરૂ થાય તે પહેલા તેઓ મોટેથી બોલીને શપથ લે છે.
મતગણતરી ક્યારે શરૂ થશે?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જો કે, ખાસ સંજોગોમાં સમય પણ બદલી શકાય છે. સૌ પ્રથમ, બેલેટ પેપર અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) દ્વારા પડેલા મતોની ગણતરી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે બેલેટ પેપર અને ETPBS દ્વારા, ચૂંટણી ફરજ પર તૈનાત સરકારી કર્મચારીઓ, સૈનિકો, દેશની બહાર ફરજ બજાવતા સરકારી અધિકારીઓ, વૃદ્ધ મતદારો અને પ્રિવેંટિવ ડિટેંશનમાં રહેતા લોકો મત આપે છે. આ મતોની ગણતરી કરવામાં અડધો કલાક જેટલો સમય લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech