નવા રસ્તાની શરુ થયેલી કામગીરીનું ધારાસભ્ય જીતુ વાઘાણીએ કર્યુ નિરીક્ષણ

  • May 03, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરના વડલા ચોકથી ટાણા ચોકડી સુધીના રસ્તાની ચાલી રહેલી કામગીરીનું ધારાસભ્ય જીતુ વાઘાણીએ નિરીક્ષણ કર્યુ હતું.
સિહોરની માથાના દુખાવા સમાન સમસ્યાઓ માટે સ્થાનિક કોઈપણ પક્ષના રાજકીય આગેવાનો નો વગ ચાલ્યો નહિ ત્યારે ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પાસે આ સમસ્યા પોહચતા તેમને ગાંધીનગર સુધી રજુઆત કરીને આ ખખધડજ વડલા ચોકથી ટાણા ચોકડી સુધી ના રસ્તાને નવો મંજુર કરાવી કામગીરી શરૂ કરવામા આવી. જે કામગીરી ના નિરીક્ષણ માટે થઈને રાત્રીના સમયે કામગીરી ના નિરીક્ષણ માટે પોહચ્યા હતા. તેમના દ્વારા કામગીરી નું નિરીક્ષણ કરી ત્યારે બાદ સોસાયટીમાં જે ડાયવર્ઝન આપવામાં આવેલ જેમાં ધૂળિયા માર્ગને લઈને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી પડી હતી જે અંગે જીતુભાઇ ને રજુઆત કરતા તેમને પ્રત્યક્ષ ધૂળિયા માર્ગનું નિરક્ષણ કર્યું હતું અને તેમને પણ સ્થાનિકો ની સ્થિતિ સમજ આવતા તેમને તાબડતોબ પહેલા આ માર્ગ ઉપર ડામર રોડનું કામ કરવા માટે જરૂરી સૂચનો કરી આદેશ આપ્યા હતા. તેમની સાથે રસ્તાના નિરીક્ષણ માટે અને સમસ્યા ની રજુઆત કરવા શહેર ભાજપના પ્રમુખ, મંત્રી સહિતનું સંગઠન રૂબરૂ મળી રજુઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application