લઘુરુદ્ર યજ્ઞ તેમજ સમસ્ત હિન્દુ સમાજનું ફરાળી સમૂહ ભોજનનું આયોજન: ત્રણસો વર્ષથી પણ પૌરાણિક છે સ્વયંભૂ પાળેશ્વર મહાદેવનું મંદિર: પાંચ પેઢીથી કરે છે એક જ પરિવારના સભ્યો સેવા-પૂજા:
સલાયામાં આવેલ પૌરાણિક પાળેશ્વર મહાદેવ મંદિરે તારીખ 26.3.25 ના રોજ મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન સમસ્ત હિન્દુ સમાજના સાથ સહકારથી કરવાનું નક્કી કરેલ છે. જેમાં લઘુરુદ્ર યજ્ઞ તેમજ બપોરે સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ફરાળી ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા એક મિટિંગનું આયોજન જલારામ મંદિરે કરાયું હતું જેમાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પાળેશ્વર મંદિર અંદાજિત 300 વર્ષથી પણ જૂનું હોવાનું જાણવા મળેલ છે. આ મંદિર એક પહાડ (પાળ) ઉપર આવેલ છે જેથી એમનું નામ પાળેશ્વર મહાદેવ પડ્યું હતું. આ મંદિરની વાત કરવામાં આવે તો આ પહાડ ઉપર વર્ષો પહેલા દરરોજ એક લુહારની ગાય આવીને ઊભી રહેતી અને એના આંચલ માંથી આપોઆપ દૂધની ધારાવાહી થતી. આ ચમત્કાર જોઈ અને ત્યાં જોતા શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારથી ત્યાં પાળેશ્વર મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે.
આ મંદિરમાં હાલ મહંત પ્રવીણગિરિ પ્રેમગીરી ગૌસ્વામી પૂજા અર્ચના કરી રહ્યા છે. એમની આ પાંચમી પેઢી હશે જે આ મંદિરની પૂજા અર્ચના કરે છે. આ મંદિર ઉપર અનેક મહાનુભાવોને પણ અતૂટ શ્રદ્ધા છે. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા પણ અહીં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હાલ મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણીના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા સમિતિ અને લોહાણા મહાજનના સભ્યો આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech