એક અમેરિકન અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માલદીવમાં વિપક્ષી દળોએ રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુ વિદ્ધ મહાભિયોગ લાવવાની યોજના તૈયાર કરી હતી, જેમાં ભારત પાસેથી આર્થિક મદદની માંગ કરવામાં આવી હતી. જો કે, આ કથિત યોજના સફળ ન થઈ શકી. માલદીવના પૂર્વ રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું છે કે તેમને આવી કોઈ યોજનાની જાણ નથી. આ ઉપરાંત ભારત સરકારે આ રિપોર્ટ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગઈકાલે એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે માલદીવની વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)એ કથિત રીતે ભારત પાસેથી ૬ મિલિયન ડોલરની માંગણી કરી હતી જેથી મુઈઝુ સામે મહાભિયોગ લાવી શકાય. અહેવાલમાં આ વાત આંતરિક દસ્તાવેજ 'ડેમોક્રેટિક રિન્યુઅલ ઈનિશિએટિવ'ના આધારે કહેવામાં આવી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે મુઈઝુની પાર્ટીના કેટલાક સાંસદો સહિત લગભગ ૪૦ માલદીવના સાંસદોને લાંચ આપવાની યોજના હતી. મહાભિયોગ માટે જરી મતો એકત્રિત કરી શકાય તે માટે આ કરવું પડુ.ં રિપોર્ટ અનુસાર, દસ્તાવેજોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા વરિ સૈન્ય અને પોલીસ અધિકારીઓને પણ પૈસા આપવાની યોજના હતી.
ત્રણ ગુનાહિત ટોળકીની મદદની વાત પણ કરવામાં આવી છે, જેથી મુઈઝુને સત્તા પરથી દૂર કરી શકાય. ત્યારે માલદીવના પૂર્વ રાષ્ટ્ર્રપતિ નશીદનું કહેવું છે કે ભારત આવી કોઈ યોજનાને કયારેય સમર્થન નહીં આપે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ આંતરિક દસ્તાવેજમાં કહેવાયું છે કે માલદીવના વિપક્ષી નેતાઓએ મુઇઝુની પાર્ટીના કેટલાક સાંસદો સહિત સંસદના ૪૦ સભ્યોને લાંચ આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો, જેથી તેની સામે મહાભિયોગ માટે વોટ મેળવી શકાય.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ષડયંત્રકારોએ અનેક પક્ષોને પૈસા આપવા માટે ૮૭ મિલિયન માલદીવિયન ફિયા અથવા ૬ મિલિયન યુએસ ડોલરની માંગ કરી હતી. માલદીવના બે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રકમ ભારત પાસેથી માંગવામાં આવી હતી. પ્રા માહિતી મુજબ, દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે રો સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મુઈઝુને હટાવવાની શકયતાઓ શોધવા માટે માલદીવના વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા શ કરી હતી.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના થોડા અઠવાડિયામાં તૈયાર થઈ ગઈ હતી પરંતુ મહિનાઓ સુધી વાટાઘાટો છતાં મહાભિયોગ માટે પૂરતું સમર્થન એકત્ર થઈ શકયું નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ સુધી એ સ્પષ્ટ્ર નથી થયું કે આ યોજનાને ભારતમાં કોઈ સરકારી અધિકારીએ મંજૂરી આપી હતી કે શું ભારત પણ મુઈઝુ વિદ્ધ મહાભિયોગની યોજનાને સમર્થન આપી રહ્યું હતું કે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech