શાંતનુ સિન્હા નામના વ્યકિતએ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયા પર મહિલાઓના યૌન શોષણમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. આરોપના થોડા દિવસો પછી, અમિત માલવીયાએ ગઈકાલે શાંતનુ સિંહા વિદ્ધ માનહાનિના આરોપમાં ૧૦ કરોડ પિયાનો દાવો દાખલ કર્યેા. કાનૂની નોટિસમાં માલવિયાએ કહ્યું હતું કે આરોપો ખોટા અને બદનક્ષીભર્યા છે અને તેને સોશિયલ મીડિયા પરથી હટાવવા જોઈએ.
નોટિસમાં લખવામાં આવ્યું છે કે, આરોપોનું સ્વપ અત્યતં વાંધાજનક છે કારણ કે તેઓ (શાંતનુ સિન્હા) મારા કલાયન્ટ (અમિત માલવિયા) દ્રારા કથિત રીતે કરાયેલા જાતીય ગેરવર્તણૂકના ખોટા આરોપો મૂકે છે. આ મારા કલાયન્ટની ગરિમા અને પ્રતિા માટે સાં નથી, જેઓ તેમની વ્યાવસાયિક પ્રોફાઇલના આધારે, જાહેર જીવન જીવતા વ્યકિત છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સિંહાએ માલવિયા પર પશ્ચિમ બંગાળમાં તેમના રોકાણ દરમિયાન મહિલાઓનું જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
સુપ્રિયા શ્રીનેતે અમિત માલવિયાની ભૂમિકા વિશે કહ્યું કે યાં સુધી તેઓ તેમના વર્તમાન પદ પરથી હટી નહીં જાય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કરવી અશકય બની જશે.
આરોપ છે કે શાંતનુ સિન્હાના વકીલે અમિત માલવિયા વતી લીગલ નોટિસ મોકલનાર અભિજીત ઉપાધ્યાયને ધમકી આપી છે. બાર કાઉન્સિલને ફરિયાદ મોકલવામાં આવી છે. એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
કોંગ્રેસની માલવિયા સામે તાત્કાલિક પગલાં લેવા માગ
દરમિયાન કોંગ્રેસે ભાજપને માલવિયા સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. મહિલાઓ માટે ન્યાય પર ભાર મૂકતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, ભાજપ નેતા રાહત્પલ સિંહાના સંબંધી આરએસએસ સભ્ય શાંતનુ સિન્હાએ કહ્યું છે કે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયા નાપાક પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે મહિલાઓનું યૌન શોષણ કરે છે. આવું માત્ર ૫ સ્ટાર હોટલોમાં જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યાલયોમાં પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, અમે ભાજપ પાસે એક જ વસ્તુ માંગીએ છીએ, મહિલાઓ માટે ન્યાય. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં, ભાજપના અગ્રણી વ્યકિત, આઈટી સેલના વડા વિદ્ધ જાતીય સતામણીના ગંભીર આરોપો પ્રકાશમાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech