જામનગર : નાના વાગુદડ સીમમાં ગળાફાંસો ખાઇ પરણીતાનો આપઘાત
જામનગર : નાના વાગુદડ સીમમાં ગળાફાંસો ખાઇ પરણીતાનો આપઘાત
November 24, 2025 01:31 PM
ધ્રોલ તાલુકાના નાના વાગુદડ સીમમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. કસુવાવડ બાદ સંતાન થતા ન હોય જેથી આ બાબતનું મનમાં લાગી આવતા પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર કરવામાં આવ્યુ છે.
ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમમાં રહેતા મધુબેન અશોકભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) નામની પરણીતાને બે વખત કસુવાવડ થયેલ હોય અને સંતાન થતા ન હોય આ બાબતે અવાર નવાર મનમાં લાગી આવતુ હોય જેથી ગત તા. ૨૨ના બપોરના સુમારે પોતાના ઘરે દોરડા વડે પતરાના એન્ગલમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે હાલ નાના વાગુદડ સીમ વિજયસિંહ જાડેજાની વાડી ખાતે રહેતા અશોક કાનાભાઇ વાઘેલાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.