અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ બાજુમાં આવેલી બી.આર. એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઇ હતી. જેને લઇ દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ આઠ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતાં માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતાં તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમને લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું આનુમાન છે. જો કે, આગ લાગવાનાં કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે.
આગના બનાવ અંગે બી.આર. એગ્રો કંપનીએ જણાવ્યું હતું કે, બાજુમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં આગ લાગી હતી. જે બાદ તે આગ ફેલાઈને તેઓની કંપનીના વેરહાઉસમાં પહોંચી હતી. જેના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપની દ્વારા નાઈટ શિફ્ટમાં કર્મચારીઓ રાખવામાં આવતા નથી, આથી જાનહાનિ અટકી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech