લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ આજે જોવા મળી છે. અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરામાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે અને ઠંડી વધી છે. તો નલિયા અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર રાજકોટ માં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પોરબંદરમાં એકસાથે પાંચ ડિગ્રીનો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ પોરબંદરમાં ગઈકાલે 10.1 અને આજે 15 રાજકોટમાં ગઈકાલે 10.4 અને આજે 11 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમરેલીમાં ગઈકાલે 10.4 અને આજે 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં સામાન્ય ફેરફાર સાથે આજનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. ઓખામાં આજે 18 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે જે ગઈકાલ કરતા બે ડિગ્રી ઓછું છે.
અમદાવાદમાં 12.4 ડીસામાં 9.9 ગાંધીનગરમાં 11.4 વડોદરામાં 13.2 ભુજમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગિરનાર પર્વત ઉપર પણ આજે 10.1 ભવનાથ તળેટીમાં 13 અને જુનાગઢ શહેરમાં 15.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
પવનની ગતિ સરેરાશ 12 થી 15 કિલોમીટર આસપાસ રહેવા પામી છે. આવતીકાલે મકરસંક્રાતિ એ પણ 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જોકે ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ વધી જતા રોપવે બંધ રખાયો છે.
બંગાળની ખાડીમાં શ્રીલંકાના દરિયાને લાગુ પડે તેવું એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સાઉથવેસ્ટ દિશામાં સર્જાયું છે અને તેના કારણે તામિલનાડુ પુડીચેરી કેરલા માં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાં પ્રતિ કલાકના 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 55 કીલોમીટર આસપાસ થઈ જતી હોવાથી આગામી તારીખ 16 સુધી દરિયામાં ન જવા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી એક જોરદાર વેસ્ટરન ડિસ્ટર્બન નોર્થ વેસ્ટ ઇન્ડિયા ને અસર કરે એવું ઉદભવી રહ્યું છે. આ સિસ્ટમના કારણે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં ભારે વરસાદ અને હિમવષર્નિી ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ચંદીગઢ દિલ્હી ઉત્તરાખંડ પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા અરુણાચલ આસામ મેઘાલય માં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech