ઉનાળામાં ફુદીનાની ચટણી મોટાભાગના ઘરોમાં જોવા મળે છે અને ફુદીનાનો ઉપયોગ ઘણા પ્રકારના પીણાંમાં સ્વાદ વધારવા માટે પણ થાય છે. ફુદીનાનો સ્વાદ અને સુગંધ તો સારા છે આ સિવાય તે સ્વાસ્થ્ય માટે પણ ઓછું ફાયદાકારક નથી. ઉનાળામાં ફુદીનો એક નહીં પરંતુ અનેક સમસ્યાઓથી બચાવી શકે છે. તે ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત અપાવી શકે છે.
ફુદીનામાં માત્ર ઠંડકના ગુણો જ નથી, આ સિવાય તેમાં મેગ્નેશિયમ, નિયાસિન, થાઈમીન, આયર્ન, પોટેશિયમ, વિટામિન એ અને સી જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે.
પાચન સુધરશે
ઉનાળામાં લોકોને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફુદીનાથી અપચો, એસિડિટી, ગેસનો દુખાવો, ઉબકા, ઉલ્ટી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ફુદીનાની ચા બનાવીને પી શકાય છે.
શરીરનું તાપમાન સંતુલિત રહેશે
ઉનાળામાં એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે શરીરના તાપમાનને સંતુલિત કરી શકે, કારણકે આ હીટસ્ટ્રોકને અટકાવે છે. ફુદીનાના પાન પેટને ઠંડુ કરે છે. આ માટે ફુદીનાનું શરબત બનાવીને પી શકો છો.
માથાના દુખાવામાં રાહત
ઉનાળામાં શરીરની ગરમી વધવાને કારણે લોકોને વારંવાર માથાનો દુખાવો થવા લાગે છે. આનાથી છુટકારો મેળવવા માટે પણ ફુદીનો અસરકારક છે. ઉનાળામાં જો શરીરનું તાપમાન વધવાથી માથાનો દુખાવો, તણાવ, ચિંતાનો અનુભવ થતો હોય તો ફુદીનાની સુગંધથી રાહત મળે છે. આ સિવાય ફુદીનાના પાનની ચા પણ રાહત આપે છે.
ત્વચાની સમસ્યાઓથી પણ છુટકારો
જો ઉનાળામાં ત્વચા પર ખીલ અને પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે, તો ફુદીનાના પાનનો રસ લગાવી શકો છો અથવા તેનો ઉપયોગ ફેસ પેકની જેમ ત્વચાની સંભાળમાં કરી શકો છો. ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા ઉપરાંત તે ત્વચાને ઠંડક પણ પ્રદાન કરે છે. જેનાથી તાજગીનો અનુભવ કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech