ભાજપ હાઈકમાંડ એ શનિવારે અમુક બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, બાકીના ઉમેદવારોની ગમે ત્યારે જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે જેમને ટીકીટ નથી મળી તેમનો વસવસો જાહેર થઈ રહ્યો છે જેમાં ભોપાલ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મોટા માર્જિનથી હરાવનારા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની બાદબાકી કરવામાં આવતા તેમને વસવસો વ્યકત કર્યેા છે કે મને ખ્યાલ હતો જ કે મને ટીકીટ નહી મળે. પીએમ મોદીએ કહ્યું જ હતું કે મને માફ કરવામાં નહી આવે. ૨૦૧૯માં પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં એક સભામાં કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભકત હતા. દેશભકત છે અને દેશભકત રહેશે. તેના આ નિવેદન બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ પ્રજ્ઞા ત૫હકુર્ને કયારેય માફ નહીં કરે. ઉલેખનીય છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં, ઠાકુરે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેમને ૬૧.૫૪ ટકા મત મળ્યા હતા.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, જેઓ ૨૦૧૯માં ભોપાલથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડા હતા, તેમને આ વખતે બહાર કરવામાં આવ્યા છે.હવે તેણે દાવો કર્યેા છે કે વડા પ્રધાન મોદીએ પહેલેથી જ કહ્યું હતું કે તેમને 'માફ કરવામાં આવશે નહીં'.ખાસ વાત એ છે કે વર્ષ ૨૦૧૯માં જ પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ઠાકુરના નિવેદનથી ખુશ નથી.
ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભોપાલ સીટથી આલોક શર્માને ટિકિટ આપી છે.શર્મા ભૂતપૂર્વ મેયર છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, 'મેં અગાઉ ટિકિટ માંગી ન હતી અને હવે પણ નથી માંગી રહી.શકય છે કે જૂના નિવેદનોમાં મારા દ્રારા ઉપયોગમાં લેવાયેલા કેટલાક શબ્દો વડાપ્રધાન મોદીને પસદં ન આવ્યા હોય.
તેણે આગળ કહ્યું, 'અને તેણે એ પણ વ્યકત કયુ હતું કે મને માફ કરવામાં આવશે નહીં.જો કે, મેં તેની પહેલા જ માફી માંગી લીધી છે.રવિવારે તેમણે પાર્ટીના નિર્ણયને સ્વીકારવાની વાત કરી હતી.જો કે, ઠાકુર સિવાય ૩૩ વધુ સાંસદોના નામ એવા લોકોની યાદીમાં સામેલ છે જેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.ભાજપે શનિવારે જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMખેડૂત નેતા રાકેશ ટિકૈતની પાઘડી ઉછાળવાનો મામલો ગરમાયો
May 03, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech