નૈઋત્યનું ચોમાસું છેલ્લા 15 દિવસથી વધુ સમયથી મુંબઈમાં પડ્યું છે. આ ચોમાસુ ક્યારે આગળ વધશે? અને ફરી વરસાદ ક્યારથી શરૂ થશે? તેવા ચિંતાસભર સવાલો લોકોમાં પુછાઈ રહ્યા છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી તારીખ 12 થી 18 વચ્ચે ફરી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે. જોકે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આ બાબતે અત્યારે કોઈ આગાહી કરતું નથી.
હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ તારીખ 13 આસપાસ બંગાળની ખાડીમાં અને ત્યાર પછી તુરંત જ અરબી સમુદ્રમાં વરસાદ ખેંચી લાવે તેવી અલગ અલગ બે સિસ્ટમો ઊભી થશે અને તેના કારણે પોરબંદર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 15 જૂન પછી વરસાદની શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના જોવામાં આવે છે.
તારીખ 13 થી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ રહ્યો છે
હવામાન ખાતાના એક બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 10 થી કર્ણાટક અને તારીખ 13 થી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ રહ્યો છે. અત્યારે કોકણ ગોવા અંદામાન નિકોબાર ત્રિપુરા મણીપુરમાં ભારે વરસાદ ચાલુ છે. તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અપેક્ષા મુજબની સિસ્ટમ ઊભી થાય તો વરસાદને આગળ વધવામાં ગતિ મળશે. તારીખ 13 અને 14 ના રોજ ઉતરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ દિલ્હી માં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું
હવામાન ખાતાના આ નિષ્ણાતો જણાવે છે કે અત્યારે હરિયાણા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ હિમાચલ ઉતરાખંડ અને બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે. લદાખ અને કાશ્મીરને પ્રભાવિત કરે તેવું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે. હવે દરિયામાં જો નવી સિસ્ટમ ઉદ્ભવે તો ફરી વરસાદ ચાલુ થઈ જાય તેમ છે.
સુરત અને ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું પ્રમાણ વધુ રહેશે
ગુજરાતમાં પણ તારીખ 15 સુધી છૂટા છવાયા હળવાથી મધ્યમ ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે. સુરત અને ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યારે લોકલ સિસ્ટમના આધારે વરસાદ પડી રહ્યો છે ગરમી અને ભેજનું પ્રમાણ વધી જવાથી છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડે છે. અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech