કચ્છના નાના રણ સહિતના વિસ્તારમાં ભુ માફિયાઓ દ્વારા મીઠાનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. કેટલાક કાયદેસર છે તેની ના નહી પરંતુ તેમને ફાળવવામાં આવેલી જમીન કરતાં વધુ જમીનમાં દબાણ કરીને ગેરકાયદેસર રીતે જમીનનું દબાણ કરીને ચલાવતા આ વેપલામાં સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છતાં સરકારી બાબુઓ એક યા બીજા કારણોસર આંખ આડા કાન કરી રહ્યા છે .દરમિયાન નાના રણમાં જોવામાં આવે તો અગરીયાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવેલી છે. ત્યારે ગ્રામજનોના આક્ષેપ મુજબ ૨૦૦થી વધુ કારખાનાઓ કોની મહેરબાનીી ધમધમની રહ્યા છે તે એક પ્રશ્ન છે.
દેશનું મોટા ભાગનું મીઠું કચ્છમાં પાકે છે. મીઠાના વ્યવસાય કરનારા પૈકી મોટાભાગના કાયદેસર રીતે વ્યવસાય ચલાવી રહ્યા છે, પરંતુ કેટલાક એક યા બીજા કારણોસર દબાણ કરીને પણ સરકારી જમીન પર મીઠું પકવવાનું ચૂકતા ની જેને લઈને અગાઉ પણ ફરિયાદો ઈ ચૂકી છે .પરંતુ ભુજ કે ગાંધીનગર કક્ષાએ કોઈ જ પગલાં ભરવામાં ન આવતાં ગ્રામજનોમાં ભારે નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાના રણમાં પણ ભૂ માફિયા સામે લડત અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને વ્યાપક સર્મન મળી રહ્યું છે . બીજી તરફ જોવામાં આવે તો ભુ માફિયાઓના આશીર્વાદને લઈને સરકારી બાબુઓ ચૂપકીદી સેવી બેઠા છે જેને લઇને પણ લોકોમાં સરકારી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય આગેવાનોના આશીર્વાદી ચાલતા આ ધમધોકાર મીઠાના વેપલામાં કોને કેટલો ફાયદો થાય છે તે તો ખબર નહિ પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ સરકારી તિજોરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે .અલબત્ત કેટલાક વ્યવસાયકારો દ્વારા કાયદેસર રીતે કામગીરી કરાવવામાં આવેલી છે તે પણ ઉલ્લેખ કરવો જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech