ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ હેતુ મિશન મોડમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવતા ૧૭૦૦ ઘરોમા મચ્છરોના પોરા મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરના તમામ વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરી ગત અઠવાડિયામાં કુલ ૨૨૯ ટીમ અને ૫૭ સુપરવાઈઝર દ્વારા ૯૩૮૧૫ ઘરોની મુલાકાત લીધી હતી, અંદાજિત ૩૬૬૬૬૮ વસ્તી કવર કરી હતી, જેમાં કુલ ૧૭૦૦ ઘરોમા મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આ સર્વે દરમિયાન કુલ ૨૮૪૩૯૧ પાત્રો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૨૧૧૯ પાત્રોમા પોરા મળી આવ્યા હતા. આ તમામ પાત્રોનો નાશ કરવામા આવ્યો હતો તથા ઘરોની બહાર કુલ ૫૮૦ સ્થળોને ઓઈલ દ્રારા ટ્રીટ કરવામાં આવ્યુ હતુ. ઘરોની બહાર કુલ ૧૯૬૬ મચ્છર ઉત્પત્તીના સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ સર્વે દરમિયાન કુલ ૧૩૮૭ લોહીના નમુના લેવામાં આવ્યા હતા. જે તમામનું મેલેરિયા માટે પરિક્ષણ કરવામા આવ્યુ હતુ જોકે, કોઈ પોઝીટીવ રિપોર્ટ આવ્યો ન હતો, જેથી તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ અઠવાડીયા દરમિયાન
ક્ધસ્ટ્રક્શન સાઈટ, શાળા, આંગણવાડી વગેરે મળી કુલ ૧૩૯ સ્થળોની મુલાકાત લેવામા આવી હતી, જે પૈકી વિવિધ૧ ૧૬ સ્થળોએ પોરા મળી આવ્યા હતા, આ પોરા ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ સર્વે કામગીરી દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા લોકોએ શું ધ્યાન રાખવુંવાહક જન્ય રોગો કઈ રીતે ફેલાય છે, તેમાં કેવા લક્ષણો જોવા મળે તે બાબતે તેમજ જરૂર જણાયે પોતાની નજીકના શહેરી પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech