મનપા દ્વારા બાગબગીચા અને ફૂવારાની સફાઇ કામગીરી ધમધમી

  • May 17, 2025 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રીટલાઇટ રીપેરીંગ અને બગીચાની સફાઇની કામગીરી કરવામાં આવી હતી.
કમિશ્નર તથા નાયબ કમિશ્નર (પ્રોજેકટ)ની  સૂચનાથી ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા કડીયાપ્લોટ, મીલપરા, વાડીપ્લોટ, ભોેજેશ્ર્વર પ્લોટ, નરસંગ ટેકરી, ધરમપુર, કમલાબાગ, ઇન્દીરાનગર, ખાપટ, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૧ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. વોટરવર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં કડીયાપ્લોટ, ભાટીયાબજાર, ખારવાવાડ ભોવાન વંડી, પરેશનગર, જલારામ કોલોની જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનના રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
ગાર્ડન વિભાગ દ્વારા ‚પાળીબાગ, કમલાનેહ‚ પાર્ક રાણીબાગ, નાગાર્જુન સીસોદીયા પાર્ક, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, પેલેસ ફુવારા આંબેડકર ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ એન.કે. મહેતા હાઉસ, હોટેલ હાર્મોની સામે એમ.જી. રોડ વૃક્ષોની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application