શહેરનો વ્યાપ વધતાની સાથે ઈસ્ટઝોન અને વેસ્ટઝોનમાં સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડીંગોનું પ્રમાણ વધવા લાગ્યુ છે. જ્યારે સેન્ટ્રલઝોનના વોર્ડ નં.૩ ને લાગુ મોરબી રોડ ઉપર વિસ્તાર વધતા મનપા દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે એક પછી એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વોર્ડ નં.૩ માં રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજરોડ ઉપર અદ્યતન શાકમાર્કેટ અને ફુડઝોન બનાવવાનું આયોજન કરી બન્ને પ્રોજેક્ટ માટેનો ખર્ચ રૂા.૪.૪૫ કરોડ નિર્ધારિત કરી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા અનેક આવાસ યોજનાઓ નિર્માણ પામી રહી છે સાથો સાથ ફાયર સ્ટેશન સહિતના પ્રોજેક્ટો માટે પણ થોડા સમય પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. મોરબી રોડ તેમજ વોર્ડ નં. 3ની અંદર આવતા મુખ્ય વિસ્તારોમાં વસ્તી વધતા હવે લોકોની પાયાની જરૂરિયાતના પ્રોજેક્ટો શરૂ કરવામાટે મનપાએ બીડુ ઝડપ્યું હોય તેમ છેલ્લા થોડા સમયથી રેલનગર વિસ્તારનો સતત વિકાસ થાય તેવો પગલા લેવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલ સાધુવાસવાણી કુંજરોડ ઉપર શાકમાર્કેટ બનાવવાની માંગ લોકો દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી હતી. હાલમાં મુખ્યમાર્ગ ઉપર ભરાતી શાકમાર્કેટના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થતો હોય મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં હેતુફેર રાખવામાં આવેલ પ્લોટનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ જેમાં સાધુવાસવાણી કુંજ રોડ ઉપર મનપાના વિશાળ ખાલી પ્લોટ ઉપર શાકમાર્કેટ બની શકે તેવું જણાવતા મહાનગરપાલિકાએ આ પ્લોટ ઉપર એક સાથે બે પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. રૂા.૪.૪૫ કરોડના ખર્ચે અદ્યતન શહેરની પ્રથમ શાકમાર્કેટનું નિર્માણ કરવામાં આવશે. સાથો સાથ આ વિસ્તારના લોકોને એક જ સ્થળેથી ખાણી-પીણીની તમામ જરૂરિયાત પુરી થઈ શકે તે માટે ફૂડઝોન બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂા.૪.૪૫ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ અને ફૂડઝોન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડીંગમાં દરખાસ્તને મંજુરી આપી તુરંત વર્ક ઓર્ડર આપવામા આવશે તેમ જાણવા મળેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech