એનએસયુઆઇ તેમજ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને લઇને અનેક વખત રજૂઆતો તેમજ આંદોલન કરતા હોય છે, વિદ્યાર્થીઓની સમસ્યાને લઇને હરહંમેશ એનએસયુઆઇ ખડેપગે રહે છે ત્યારે જામનગર એનએસયુઆઇ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા શિયાળાનું ઋતુમાં શાળાઓના ફરજીયાત સ્વેટરના કલરોને લઇને તેમજ એક જ જગ્યાએ/એજન્સીઓ પાસેથી ખરીદવા માટેની ફરજ પાડતી શાળાઓ સામે વિરોધ દશર્વ્યિો છે. ત્યારે એનએસયઅુાઇ અને યુવક કોંગ્રેસે વાલીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કયર્િ છે.
હાલ શિયાળાનો સમય શરુ થયો છે જેના અનુસંધાને વિધાર્થીઓને સ્વેટર જેકેટ ની જરીયાત હોય તે અનિવાર્ય છે. પરંતુ ઘણીબધી શાળાઓ પોતાના કમીશન માટે ચોક્કસ કલર પાતળા કાગળ જેવા સ્વેટર જેકેટનો આગ્રહ રાખતી હોય છે,અને આ સ્વેટર/જેકેટ પણ પોતે નક્કી કરેલ એજન્સી પાસે જ મળે છે. જે સ્વેટર/જેકેટ માર્કેટમા ા.300, 400 હોય તેજ શાળાઓના કમીશનને લીધે ા 1000 કરતા પણ મોંધા પોતે નક્કી કરેલી એજન્સી પાંસે મળતા હોય છે. આ સ્વેટર/જેકેટનો હેતુ અને ક્વોલીટી બાળકો ને ઠંડીથી રક્ષણ મેળવવા કરતાં શાળાઓને કમીશનપી રોડી કરાવવાનો વધુ હોય છે.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈ પણ શાળા કોઇ વિધાર્થી ને ચોક્ક્સ ક્લર કે ચોક્કક્ક્સ એજન્સી પાસે થી સ્વેટર /જેકેટ લેવાનો આગ્રહ નહીં રાખી શકે તે અંગે નો લેખીત પરીપત્ર પણ જાહેર કરવામાં આવેલ છે છતાં પણ ઘણી શાળા હજુ પણ ચોક્ક્સ એજન્સી પાંસે થી સ્વેટર /જેકેટ લેવાનો આગ્રહ રાખે છે તેવો ગણગણાટ વાલીઓમાં જોવા મળી રહ્યો છે. માટે જામનગર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ આઇ. ની ટીમ દ્વારા વાલીઓ ને અપીલ કરવામાં આવે છે કે કોઇ શાળા આવો આગ્રહ રાખતી હોય તો નીચે આપેલ નંબર ઉપર અમારો ચોક્ક્સ થી સમ્પર્ક કરશો વિધાર્થી ઓના હિત માં કોઇ પણ શાળા સામે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. ની જામનગર ટીમ યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફ પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇ ગુજરાતના મહામંત્રી મહીપાલસિંહ જાડેજા તેમજ એનએસયુઆઇ જામનગર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ દ્વારા આંદોલન કરવમાં આવશે, તેવું એક અખબારી યાદીમાં જણાવવામં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech