નવાપરા ખાતે ભક્તિમાં લીન થયા ગણેશ ભક્તો
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર નવાપરા ખાતે દર વખતની જેમ આ વખતે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત શનિવારે ગણેશ સ્થાપનાથી દરરોજ દિવસ દરમિયાન યોજતા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાય છે.
નવાપરા યુવક મંડળ દ્વારા આયોજિત આ ગણેશોત્સવ કાર્યક્રમમાં બુધવારે રાત્રે નંદ મહોત્સવનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગઈકાલે ગુરુવારે 101 દીવડાની આરતીના અલભ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આજરોજ શુક્રવારે રાત્રે 10 વાગ્યે ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે આ સ્થળે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech