વિવાદોમાં ફસાયેલી ફિલ્મ 'અન્નપૂર્ણાની'મુદે ચાલતા ડખાનો અંત
ફિલ્મ 'અન્નપૂર્ણાની'ને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ઘણા રાજ્યોમાં, ફિલ્મની વિરુદ્ધ પોલીસ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. એવામાં હવે નયનતારાએ આ મુદ્દે માફી માંગી છે. અભિનેત્રી એ પોસ્ટ કરીને કહ્યું હતું કે 'આ ફિલ્મ પાછળનો હેતુ દરેકને પ્રેરિત કરવાનો હતો, હેરાન કરવાનો નહીં.'
સાઉથ સિનેમાની લેડી સુપરસ્ટાર નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણાની' 1 ડિસેમ્બર, 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. બાદમાં ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી હતી. આ ફિલ્મ પર ભગવાન રામનું અપમાન કરવાનો અને લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. વિવાદ એટલો વધી ગયો કે આ ફિલ્મ નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે અને હવે નયનતારાએ આ માટે સોશિયલ મીડિયા પર માફી માંગી છે.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ફિલ્મના એક સીન માટે માફી માંગી અને એક લાંબી નોટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. નયનતારાએ ઓમ જય શ્રી રામ લખીને પોતાની નોટની શરૂઆત કરતા લખ્યું - 'હું ભારે હૃદયથી આ નોટ લખી રહી છું, મારી ફિલ્મ અન્નપૂર્ણાની માત્ર એક ફિલ્મ નથી પણ આ ફિલ્મ લોકોને તેમના જીવનમાં આગળ વધવા માટે પણ પ્રેરિત કરે છે.'
નયનતારાએ કહ્યું, "સકારાત્મક સંદેશ શેર કરવાના અમારા પ્રામાણિક પ્રયાસમાં અમે અજાણ્યામાં લોકોને દુઃખ પંહોચાડ્યું છે. અમે અગાઉ થિયેટરોમાં રિલીઝ થયેલી સેન્સર કરેલી ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવવાની અપેક્ષા નહોતી રાખી. મારી ટીમ અને મારો ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો અને અમે આ મુદ્દાની ગંભીરતા સમજીએ છીએ. હું એવી વ્યક્તિ છું જે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર અને વારંવાર દેશભરના મંદિરોની મુલાકાત લેનાર છું. આ છેલ્લી વાસ્તુ હશે જે હું જાણી જોઇને કરીશ. જેમની લાગણીઓને ઠેસ પંહોચી છે હું નિષ્ઠાપૂર્વક અને દિલથઈ માફી માંગુ છું."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech