ઈઝરાયેલ ઈરાન સંકટ: આ હટાવ્યા બાદ નેતન્યાહુએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં તેમણે રક્ષા મંત્રી પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. મતભેદોના કારણે અમને દુશ્મનો સામે ઓપરેશન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
હમાસ અને હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઈકાલે એક મોટો નિર્ણય લીધો. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, નેતન્યાહૂએ વિશ્વાસના અભાવને કારણે તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટને બરતરફ કયર્.િ વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝને નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 7 ઓક્ટોબર, 2023ના રોજ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ દ્વારા ઇઝરાયેલ પર ઘાતક હુમલા બાદ હમાસ સામે ઇઝરાયલના જવાબી લશ્કરી હડતાલને લઇને બંને વચ્ચે વારંવાર સંઘર્ષ થતો રહ્યો છે. નેતન્યાહુનું કહેવું છે કે આ તમામ કારણોસર તેમને હટાવવામાં આવ્યા છે. દરમિયાન ગેલન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની બરતરફીનો જવાબ આપ્યો. તેણે લખ્યું, ઈઝરાયેલ રાજ્યની સુરક્ષા મારા જીવનનું મિશન હતું અને હંમેશા રહેશે.
નેતન્યાહુના કાયર્લિય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધની વચ્ચે વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી વચ્ચે પહેલા કરતા વધુ સંપૂર્ણ વિશ્વાસની જરૂર છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વિશ્વાસ તૂટી ગયો છે. નેતન્યાહુએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે પોતાની અને ગેલન્ટ વચ્ચેના તફાવતોને દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્નો કયર્િ હતા પરંતુ તેઓ વ્યાપક બન્યા હતા. અમારા દુશ્મનોને પણ અમારા મતભેદો વિશે જાણ થઈ, જેનો તેમને આનંદ થયો. આ મતભેદના કારણે અમને દુશ્મનો સામે ઓપરેશન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બધાને જોતા મેં રક્ષા મંત્રીનો કાર્યકાળ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના ઈઝરાયેલ પર હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝામાં હમાસ સાથે યુદ્ધ લડી રહ્યું છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના જવાબી લશ્કરી હુમલાઓમાં ઓછામાં ઓછા 43,391 પેલેસ્ટિનિયનો માયર્િ ગયા છે, જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech