પોરબંદરમાં બ્લેક આઉટ અંતર્ગત પોરબંદરના ‘આજકાલ’ કાર્યાલય ખાતે પણ પત્રકારોએ પણ તેમની ઓફિસમાં અંધારા કરીને સમાચાર તૈયાર કરાવ્યા હતા તો બીજી બાજુ શહેરમાં તંત્ર હાઇમસ્ટ લાઇટ ટાવર બંધ કરવાનું ભુલી ગયુ હોવાથી લાઇટો ઝળહળતી હતી અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો હોવા છતાં લોકો બિન્દાસ્ત વાહનોમાં પસાર થતા હતા.
પોરબંદરના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાત્રે અડધો કલાક બ્લેકઆઉટ રાખીને લાઇટો સ્વેચ્છાએ બંધ રાખે તે માટે અપીલ કરવામાં આવી હતી જેને પોરબંદરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પોરબંદરના નાગરિકોને ૮ થી ૮:૩૦ સુધી અંધારપટ પાળીને સ્વયં શિસ્તનું ઉદાહરણ પૂરુ પાડવા અપીલ કરવામાં આવી હતી. જ્યારે દેશ સામે કોઇ પણ પ્રકારનુંજોખમ આવે ત્યારે એક થઇને સામનો કરવા તૈયાર રહેવા અપીલ કરીને બ્લેક આઉટ પહેલા પોરબંદરની જિલ્લા પોલીસ, જિલ્લા તંત્ર વાહકો અને પોરબંદર મહાનગરપાલિકાના કર્મચારીઓ વગેરેએ બ્લેકઆઉટ વિશે માહિતી આપી હતી અને અંધારપટ રાખવા જણાવ્યુ હતુ જેને મિશ્ર પ્રતિદાસ સંાપડયો છે. અમુક જગ્યાએ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. પોરબંદરમાં સ્વેચ્છાએ અને સ્વયંભુ રીતે લાઇટ બંધ રાખવાની અપીલ થઇ હતી જેમાં અનેક જગ્યાએ પોરબંદરવાસીઓએ નિષ્ઠાપૂર્વક પોતાન ફરજ બજાવીને લાઇટો બંધ રાખી હતી તો બીજી બાજુ લાઇટો ચાલુ રાખીને સહકાર ન આપ્યો હોય તેવુ પણ જોવા મળ્યુ હતુ. ઘણા લોકો ‘મારે શું? અને મારું શું?’ની ઉક્તિ કેન્દ્રસ્થાને રાખીને પોતાના ઘર અને દુકાનની લાઇટો બંધ રાખી ન હતી. તો બીજી બાજુ તંત્રની પણ અનેક ક્ષતિઓ જોવા મળી હતી. પોરબંદર શહેરના પ્રવેશદ્વાર સમા કર્લીપુલ ઉપર ખુદ તંત્રએ જ બંને હાઇમસ્ટ ટાવર ઝળહળતા રાખ્યા હતા જેના કારણે આ વિસ્તારમાં અંધારપટ જોવા મળ્યો ન હતો. મહત્વની બાબત એ છે કે તમામ હાઇમસ્ટ ટાવર અને સ્ટ્રીટલાઇટ બંધ કરવાની સુચના આપી હોવા છતાં પોરબંદરમાં લાઇટો ચાલુ હતી.કડીયાપ્લોટના મફતીયાપરા સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ કરવાની તંત્રએ તસ્દી લીધી ન હતી જેના કારણે ત્યાં પણ લાઇટો ઝળહળતી જોવા મળી હતી. એટલુ જ નહી પરંતુ વાહનચાલકોને પણ સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે અવરજવર બંધ રાખવા જણાવ્યુ હતુ. તેમ છતાં પોરબંદરનો વાહનવ્યવહાર ઠપ્પ થયો ન હતો અને વાહનોની અવરજવર યથાવત રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech