શહેરના કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને મૂળ યુપીના પરિવારના નવજાત બાળકને તાવ ભરખી જતા મૃત્યુ થયું છે, બાળકને બે દિવસથી તાવ આવતો હોય દવા લેવામાં આવી હતી દરમિયાન રાત્રીના બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા રાજેશકુમાર ચૌધરીના નવ મહિનાના પુત્ર ચિરાગને બે દિવસથી તાવ આવતો હતો. નજીકના દવાખાનેથી દવા લઈને પણ પીવડાવી હતી. રાત્રીના બેભાન જેવો થઈ જતા ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દાખલ કરાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે મોત નીપજ્યું હતું. માસુમ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.