ઈન્ટરનેટ યુઝર્સ 2 નામોનો ઉલ્લેખ કરી રહ્યા છે. એક જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતિશ કુમાર અને બીજા તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુ છે. ગઠબંધન બદલવાનો નીતિશ કુમારનો ઇતિહાસ રહ્યો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેઓ એનડીએમાં પાછા ફર્યા હતા. નોંધનીય છે કે નીતિશે જ ઈન્ડિયા એલાયન્સનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તેમણે વિવિધ વિરોધ પક્ષોને એક છત નીચે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે તેઓ એનડીએમાં છે અને અમે રાજગમાં જ રહીશું. તેમણે કહ્યું કે આ અંતિમ નિર્ણય છે.
નીતિશ કુમાર વિશે બનેલા મીમ્સ
હવે નીતીશ કુમારને લઈને સોશિયલ મીડિયા પર અઢળક મીમ્સ બની રહ્યા છે. જોક્સ બનાવવામાં આવી રહ્યા છે કે JDUJ ચીફ ફરીથી પક્ષ બદલી શકે છે. દક્ષિણ ભારતમાં, ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ જગન મોહન રેડ્ડીની YSRCP કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કિંગમેકર તરીકેની ભૂમિકા ભજવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેમના મીમ્સમાં તેનો ઉલ્લેખ કરી રહ્યા છે. બીજેપી નેતૃત્વએ ચંદ્રબાબુ નાયડુને એનડીએ કન્વીનર પદની ઓફર કરી છે. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી સિદ્ધાર્થનાથ સિંહ નાયડુને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમને એનડીએના સંયોજક પદની ઓફર કરવાનો પક્ષના નેતૃત્વનો સંદેશ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech