કોડીનાર તાલુકાના વેલણ,કોટડા, માઢવાડ જૂથ ગ્રામપંચાયતના મહીલા સરપંચ સામે ઉપસરપંચ સહિત ૧૩ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત મંજૂર કરતા કોડીનાર તાલુકાના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.વેલણ જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના ૧૧ સભ્યોએ વેલણ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી સમક્ષ ગત ૫ જાન્યુઆરીના રોજ મહીલા સરપંચ મનીષાબેન લખમભાઈ આગિયા વિરુદ્ધ સરપંચ ની કાર્ય પધ્ધતિ બરોબર ના હોવાના કારણો દર્શાવી અવિશ્વાસ પ્રસ્તાવ ની દરખાસ્ત રજૂ કરતું પત્ર પાઠવ્યું હતું જેને લઇ ને તાલુકા વિકાસ અધિકારી એ એજન્ડા બહાર પાડવા જણાવ્યું હતું જેના ૧૫ દિવસ બાદ પણ સરપંચ મનીષાબેન દ્વારા એજન્ડા બહાર નહિ પડતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૨૩ જાન્યુઆરી ના રોજ ૩૧ જાન્યુઆરી ના રોજ એજન્ડા બહાર પાડી ખાસ સભા બોલવા હુકમ કર્યો હતો જેને લઈ વિસ્તરણ અધિકારી વી.જે.ચોહાણ ની હાજરી માં ઉપસરપંચ દક્ષાબેન હરેશભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં ખાસસભા મળી હતી જેમાં વધું ૨ સભ્યો એ પણ સરપંચ મનીષાબેન આગિયા ની કાર્ય પધ્ધતિ સામે વિરોધ નોંધાવી કુલ ૧૩ સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત મંજૂર કરવાના સમર્થન માં પોતનો મત રજૂ કરતાં ૨/૩ (બે તૃતીયાંશ) સભ્યો એ સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ ઠરાવ મંજૂર કર્યો હતો જેને લઈ તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૬(૨) અન્વયે પ્રસ્તાવ પસાર કાર્ય ના ત્રણ દિવસ બાદ ખાલી પડેલી સરપંચ ની જગ્યા એ ઉપસરપંચ ને સરપંચ તરીકે ની સત્તા ભોગવવા નો હુકમ કરતાં વેલણ કોટડા માઢવાડ જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે નો ચાર્જ ઉપ સરપંચ દક્ષાબેન હરેશભાઈ ચાવડા સોંપતા સ્થાનિક રાજકારણ માં ગરમાવો આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech