શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર બિગ બઝાર ચોકમાં આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ધુળેટીના તહેવારના દિવસે ભભૂકેલી વિકરાળ આગમાં ત્રણ નાગરિકોના મોત નિપજ્યા હતા, આ દુર્ઘટના બાદ સમગ્ર શહેરના તમામ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીનું ચેકિંગ શરૂ કરાયું હતું જે હજુ પણ ચાલુ જ છે. દરમિયાન હવે નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાં હવે પગલાં લેવાનું શરૂ થશે.
વિશેષમાં મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પછીથી આજ દિવસ સુધીમાં કુલ ૧૪૩૫ બિલ્ડીંગને નોટિસ અપાઇ છે જેમાં હાઇરાઇઝ અને લોરાઇઝ સહિતના મુખ્યત્વે રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાના બીજા જ દિવસથી ચેકિંગ શરૂ કરી નોટિસ આપવાનું શરૂ કર્યું હતું જેથી માર્ચ અને એપ્રિલમાં જેમને નોટિસ અપાઈ છે તેમની નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતી હોય હવે નોટીસધારક બિલ્ડીંગ સામે પગલાં લેવાનું શરૂ થશે.
ખાસ કરીને જે બિલ્ડીંગ્સમાં ફાયર સેફટીના સાધનો જ ન હતા તેવા બિલ્ડીંગનું અલગથી લિસ્ટ તૈયાર કરાયું છે અને તેમની સામે હવે શિક્ષાત્મક પગલાં લેવાશે, અલબત્ત આ પ્રકારના નિયમભંગ બદલ શું શિક્ષાત્મક પગલાં લેવા તે અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા બાદ કાર્યવાહી કરાશે.
એકંદરે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં અગ્નિકાંડ બાદ આ એપાર્ટમેન્ટમાં તો બધું રાબેતા મુજબ થઇ ગયું છે પરંતુ આ એપાર્ટમેન્ટની બેદરકારીને કારણે લાગેલી આગથી અન્ય સેંકડો એપાર્ટમેન્ટના રહીશો ધંધે લાગી ગયા છે તે હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech