ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ દરમિયાન ભારતીય ટીમે પીએમ મોદીને એક જર્સી આપી હતી.
બાર્બાડોસથી T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાએ ગુરુવારે (4 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને ટીમ ઈન્ડિયાની ખાસ જર્સી આપવામાં આવી હતી. જેના પર નમો અને નંબર 1 લખેલું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટરો તેમજ હેડ કોચ રાહુલ દ્રવિડ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સહિતના ટોચના અધિકારીઓને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા.
ભારતીય ટીમ બાર્બાડોસથી 16 કલાકની નોન સ્ટોપ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યા બાદ પીએમ મોદી તેમના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.
પીએમ મોદીને મળવા જતા પહેલા મેન ઇન બ્લુએ કસ્ટમાઇઝ્ડ ઇન્ડિયાની જર્સી પહેરી હતી. જેના પર ચેમ્પિયન લખેલું હતું. પીએમ મોદીએ યુએસએ અને કેરેબિયનમાં વર્લ્ડ કપના અનુભવો વિશે જાણ્યું. ભારતે શનિવારે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજુ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.
વરસાદ હોવા છતાં વહેલી સવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ની બહાર હજારો ચાહકો ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે કતારમાં ઊભા હતા.રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને એરપોર્ટની બહાર આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech