ગુજરાતમાં શહેરીકરણની સમસ્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાં એક રિપોર્ટમાં શહેરી વિકાસની સમસ્યામાં હવે રાજયના મહાનગરોમાં કોલ-સીટી રીડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સસ્ટેબલ ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) બિલ્ડરોને આપવા માટે ભલામણ કરવામાં આવી છે.
જેમાં ગુજરાતમાં રીજયોનલ ડેવલપમેન્ટ રાઈટનો એક નવો ખ્યાલ આવશે. રાજયના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય મહાનગરોમાં આ પહેલનો અમલ થઈ શકે છે. હાલમાં આ પ્રકારના ટીડીઆર સર્ટીફીકેટ ફકત જે તે મહાનગરની મર્યાદામાંજ ઉપયોગમાં લઈ શકે તે રીતે આપવામાં આવે છે.
જેને મહાનગરની બાઉન્ડ્રીમાં જ ઉપયોગ કરી શકે છે
શહેરી વિકાસના વિવિધ પડકારોમાં ડેવલપરને જે ફ્લોર સ્પેસ ઈન્ડેકસ (એફએમઆઈ)ના હક્ક મળે છે તેનો જેને મહાનગરની બાઉન્ડ્રીમાં જ ઉપયોગ કરી શકે છે પણ હવે કોલસીટી એટલે કે રાજય સરકાર જે મહાનગરો મોટા શહેરોમાં નોટીફાઈ કરે ત્યાં પણ ડેવલોપમેન્ટ માટે બિલ્ડર ડેવલપર તેનો ઉપયોગ કરી શકશે.
એસેસ કરવા ખાસ કાનૂન બનાવાશે
આ ઉપરાંત આ માટે એક રીજ્યોનલ ડેવલોપમેન્ટ રાઈટ માર્કેટ પણ શરુ થશે અને તેનાથી ડેવલોપર બિલ્ડર્સ જે એક મોટા શહેરોમાં એકઠા થયા છે. તેઓને અન્ય મહાનગરોમાં જવાની પણ પ્રેરણા મળશે. લેન્ડલોક પ્રોપર્ટી એટલે કે જે મિલ્કતો સુધી પહોંચવાનો કોઈ સીધો જાહેર માર્ગ મોજૂદ ન હોય અને ખાનગી માર્ગોથી પહોંચી શકતુ હોય તેને એસેસ કરવા ખાસ કાનૂન બનાવાશે.
મહાનગરની એક ખાસ કમીટી બનશે
આ પ્રકારની પ્રોપર્ટીમાં બંધ ફેક્ટરીઓ કે તેવી મિલ્કતો પણ આવેલી છે. આ તમામ પ્રક્રિયા માટે જે તે મહાનગરની એક ખાસ કમીટી બનશે અને તે ઝડપી મંજુરી આપશે. ઉપરાંત રાજય સ્તરે એક કમીટી સમગ્ર નીતિ નિર્ધારણ- અમલ માટે હશે.
મિલ્કતોના વિકાસ માટે પણ હવે નિયમો બનાવાશે
લેન્ડલોક પ્રોપર્ટીની વ્યાખ્યામાં આવી મિલ્કતોના વિકાસ માટે પણ હવે નિયમો બનાવાશે. એક વખત આ ઈન્ટરસીટી ડેથવર્ક નિશ્ચિત થઈ જાય પછી બિલ્ડર ડેવલપર તેના એક મહાનગરના ટીડીઆર સર્ટીનો ઉપયોગ નોટીફાઈ થયેલા અન્ય મહાનગરોમાં પણ કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech