જાયફળનો ઉપયોગ વર્ષોથી આપણા રસોડામાં મસાલા તરીકે થાય છે પરંતુ આ જાયફળનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આયુર્વેદમાં જાયફળને અનેક રોગોના ઈલાજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસ જેવા ખતરનાક રોગમાં પણ જાયફળ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આજકાલની જીવનશૈલીને કારણે શુગરની સમસ્યા ઘણા લોકોને અસર કરી રહી છે. એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તેને નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો ઇચ્છો તો જાયફળને રોજના આહારમાં સામેલ કરી શકો છો. જે ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત અને તેના ફાયદા.
જાયફળ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
ઘણા અભ્યાસોમાં એ સાબિત થયું છે કે જાયફળ લોહીમાં સુગર લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. જાયફળનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. જ્યારે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટે છે ત્યારે લોહીમાં ખાંડનું પ્રમાણ વધવા લાગે છે. જાયફળ સ્વાદુપિંડના કોષોને સક્રિય કરે છે. જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે. આ સિવાય જાયફળના સેવનથી પાચન શક્તિ પણ સુધરે છે. આ સાથે જ જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે જે અન્ય ઘણી બીમારીઓને પણ દૂર કરે છે.
જાયફળનું આ રીતે સેવન કરો
આયુર્વેદ મુજબ જાયફળને દૂધમાં ભેળવીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. આ માટે સૌ પ્રથમ જાયફળને સારી રીતે પીસીને પાવડર બનાવી લો. હવે તેને દૂધમાં મિક્સ કરો અને ઉકળે ત્યાં સુધી ગરમ કરો. જો દૂધ બરાબર ઉકાળવામાં આવે તો જાયફળનો અર્ક દૂધમાં ભળી જશે. હવે દૂધને ગાળીને ગરમ ગરમ પી લો. લગભગ એક અઠવાડિયા સુધી સતત રાત્રે જાયફળનું દૂધ પીધા પછી બ્લડ સુગરના લેવલમાં અસર દેખાશે. આયુર્વેદ અનુસાર જાયફળ સુગરને નિયંત્રણમાં રાખવા માટે રામબાણની જેમ કામ કરે છે.
જાયફળ અન્ય રોગોમાં પણ ફાયદાકારક
ડાયાબિટીસની સાથે જાયફળ અન્ય ઘણી બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. જાયફળનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કબજિયાત અને પાઈલ્સ જેવા રોગો પણ મટે છે. તેનાથી ગેસ અને અપચામાં પણ રાહત મળે છે. આ સિવાય તે સ્થૂળતાની સમસ્યામાંથી પણ રાહત અપાવે છે. જો સાંધાના દુખાવાની સમસ્યા હોય તો જાયફળને પીસીને તેને સરસવના તેલમાં ભેળવીને લગાવો અને સાંધામાં માલિશ કરો તેનાથી ઘણી રાહત મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech