પોરબંદરમાં અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા અને હવે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા રખડતા ભટકતા પશુઓને પકડીને ઓડદરની સુવિધા વગરની ગૌશાળામાં રાખવામાં આવે છે જ્યાં તાજેતરમાં એવુ મહાનગરપાલિકાએ જાહેર કર્યુ હતુ કે ૬૦૦ જેટલા નંદીઓને પકડયા છે તે ઉપરાંત ભૂતકાળમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫૦૦થી વધુ પશુ પકડયાનો દાવો થયો હતો પરંતુ અત્યારે માત્ર ૫૦૦ જેટલા પશુ પણ જોવા મળતા નથી ત્યારે બાકીના પશુઓનો મનપાએ વેપાર કરી નાખ્યો કે શું? તેવા સવાલ સાથે મહાનગરપાલિકાના તંત્ર સામે અનેક આશંકા દર્શાવવામાં આવી છે અને આવેદન પાઠવાયુ છે.
સંસ્થાના આગેવાનોની મુલાકાત
પોરબંદરમાં જીવદયાનું કામ કરતી સંસ્થા ઉદયકારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરા, મહિલા અગ્રણી લીલુબેન ભુતીયા સહિત અનેક જીવદયાપ્રેમીઓએ સોમવારે બપોરે ઓડદરની ગૌશાળાની સરપ્રાઇઝ મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી જેમાં અનેક નંદીઓ ડચકા ખાતા હતા અને તડકામાં પૂરતા ખોરાક અને પાણીની સુવિધા વગર તરફડીયા મારતા હતા. પોરબંદરની ખડપીઠ ખાતેથી અહીંયા ચારો પૂરો પાડવામાં આવે છે ત્યાં પણ તપાસ કરતા મનપાના આંકડા પ્રમાણે ૬૦૦ નંદી હોય તો માંડ ૩૦૦ મણ જેટલો ચારો દૈનિક અપાતો હતો. તેથી એક દિવસમાં ૬૦૦ જેટલા મુંગા જીવોને ૩૦૦ મણ ચારો પૂરો થઇ જાય? તેવા સવાલ સાથે એવુ જાણવા મળ્યુ હતુ કે અહીંયા ગૌધનને મારવા માટે લાવવામાં આવે છે ત્યારબાદ તેના ચામડાનો પણ વેપાર કરી નાખવામાં આવતો હોવાની સ્પષ્ટ આશંકા વ્યકત થઇ હતી.
લેખિત આવેદન પાઠવાયુ
સંસ્થાના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરા સહિતની ટીમે મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે પોરબંદર શહેરમાંથી નગરપાલિકા દ્વારા જાહેર કરવામં આવ્યુ છે કે મહાનગરપાલિકા દ્વારા ૬૦૦થી વધુ નંદીને પકડવામાં આવેલા છે અને મહાનગરપાલિકાની ઓડદર સ્થિત ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. પરંતુ અમારી બ મુલાકાત સમયે આ ૬૦૦ નંદી માટે કોઇપણ પ્રકારનું રજીસ્ટર ત્યાં જોવા મળ્યુ નથી તથા તેમને ટેગ પણ લગાવવામાં આવ્યા નથી તો એની સંખ્યાની ગણતરી કઇ રીતે કરવામાં આવેલી છે?
શહેરમાંથી મહાનગરપાલિકાના કર્મચારીઓ નંદીને પકડે છે તેને ક્રૂરતાપૂર્વક ટ્રોલીમાં ભરે છે અને ઘણીવખત એકબીજા ઉપર આ નંદી પડી જાય છે. એના શીંગડા ટ્રોલીમાં ભરાઇ જાય છે જેના વીડીયો અમારી પાસે ઉપલબ્ધ છે. તો આ કર્મચારીઓ વિધ્ધ પ્રાણીક્રૂરતા અધિનિયમ અનુસાર કાર્યવાહી શું કામ કરવામાં નથી આવતી? ઓડદર સ્થિત ગૌશાળામાં લોકસુવિધાના નામે ૬૦૦થી વધુ નંદીને પૂરવામાં આવેલા છે. જ્યાં માત્ર ૮ થી ૧૦ છાપરા છે. પાણીના માત્ર બે કુંડા છે. એ સિવાય કોઇપણ જાતની વ્યવસ્થા નથી. આ ૬૦૦ નંદી વચ્ચે આખા દિવસમાં માત્ર એક જ વારમાં ૩૦૦ થી ૩૫૦ મણ જેટલો લીલો ઘાસચારો આપવામાં આવે છે. શું આ એના માટે પૂરતો છે?
ત્યાં દરરોજ એકથી બે નંદી મૃત્યુ પામે છે તો એની નોંધણી કઇ જગ્યાએ કરવામાં આવે છે? ત્યાં પણ ઘણા નાના, વૃધ્ધ ઘાયલ અને બીમાર જીવ પણ છે, તો તેની સારવાર માટે ત્યાં શું વ્યવસ્થા કરવામાં આવેલી છે? અમારી બ મુલાકાત સમયે ત્યાં ચાર નંદીઓ બીમાર હાલતમાં હતા અને મહાનગરપાલિકાના કર્મચારીને ફોન કરતા તેમનો મોબાઇલ પણ સ્વીચઓફ હતો. તો આ જીવની સારવારની જવાબદારી કોની? ત્યાં સ્થળ પર માત્ર ૨ વ્યક્તિ જ છે તો એટલા જીવ માટે ૨ વ્યક્તિ પર્યાપ્ત છે? અત્યારે ધોમધખતા તાપમાં આ ૬૦૦ જીવ ઉભા છે. થોડા દિવસ પછી વરસાદ આવેશ ત્યારે આ ગૌવંશનું શું થશે? આના માટે મહાનગરપાલિકા દ્વારા કોઇ પ્રિમોન્સન તૈયારી કરવામાં આવી છે? નગરપાલિકા દ્વારા દર વર્ષે ૫૦૦થી ૭૦૦ નંદીને પકડવામાં આવે છે પરંતુ એક વર્ષ પુરુ થાય છે ત્યારે ત્યાં માત્ર ૨૫-૫૦ જેટલા જીવિત હાલતમાં હોય છે અન્ય નંદીનું શું થાય છે? અમોને એવું જાણવા મળ્યુ છે કે અન્ય નંદી કાં તો મોતને ભેટે છે અથવા તો મહાનગરપાલિકા દ્વારા તેમને અન્ય ગૌશાળામાં મૂકવામાં આવે છે પરંતુ તે ગૌશાળાઓમાં પણ આ નંદી હાજર નથી તો આ નંદી જાય છે કયાં? આમ દર વર્ષે નવા ગૌવંશને પકડવામાં આવે છે અને આ મોતનો ખેલ આમ જ ચાલુ રહે છે. ત્યાં બે મહિનાથી કોઇપણ પ્રકારની સફાઇ કરવામાં આવતી નથી. આખી ગૌશાળામાં ચારે બાજુ છાણ છે અને તેની ઉપર જ આ ગૌવંશને ખાવાનું આપવામાં આવે છે એના માટે ગમાણની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. વરસાદમાં આ છાણ ઉપર પાણી પડતા ચારે બાજુ કીચડ થઇ જશે તો આ ગૌવંશને ખાવાનું કઇ જગ્યાએ આપવામાં આવશે ? ખાવા માટે અલગ કોઇપણ વિભાગની વ્યવસ્થા કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કોઇપણ પ્રાણીને તેના પાંચ મૌલિક અધિકાર મળવા અતિઆવશ્યક છે તો આપને નમ્ર અપીલ કે અબોલ જીવો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.તેવી અમારી માંગ છે તેમ ઉમેર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMબેંગલુરૂમાં ભાગદોડ કેસમાં RCB વિરુદ્ધ FIR દાખલ, મોટો ખુલાસો- પરવાનગી વિના વિજય પરેડ યોજાઈ
June 05, 2025 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech