જામનગરમાં રણજીત રોડ પર ગઈકાલે રાત્રે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો, અને સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતાં આગળ જઈ રહેલા ત્રણથી ચાર સ્કૂટરને હડફેટમાં લઈ લીધા હતા. આ બનાવને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
બેડી ગેટથી રણજીતરોડ પર પુરપાટ વેગે જઈ રહેલા કાર ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાથી ટ્રાફિકજામ થયો હતો, અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એકત્ર થયેલા લોકોએ કાર ચાલકને તેમાંથી બહાર કાઢી લઈ લમધારી નાખ્યો હતો. જે દરમિયાન પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આખરે મામલો થાળે પડ્યો હતો, અને રણજીત રોડ પરના વાહન વ્યવહાર ને પૂર્વવત બનાવ્યો હતો. સમગ્ર બનાવ મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech