ઓપરેશન સિંદુરે વિશ્ર્વને ભારતના સામર્થ્યની પ્રતીતિ કરાવી છે : નીમુબેન

  • June 11, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ અંતર્ગત ભાવનગર શહેર તથા જિલ્લા ભાજપ આયોજિત પત્રકાર પરિષદ આજે તા.૧૧ ને બુધવારે અટલ બિહારી બાજપાઈ હોલ, મોતીબાગ, ભાવનગર ખાતે યોજાઈ હતી. આ પત્રકાર પરિષદને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ ૧૧ વર્ષના મોદી સરકારના શાસનની સિદ્ધિઓ વર્ણવી હતી.
 નીમુબેને તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે દેશમાં મોદી સરકારે અનેક પરિવર્તનકારી પહેલ કરી છે.૧૧ વર્ષમાં સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કર્યુ છે.૨૦૧૪ પહેલા આપણો દેશ આયાત પર વધુ આધારિત હતો.હવે અનેક વસ્તુઓની નિકાસ કરે છે. આપણો દેશ હવે આર્થિક બાબતોમાં વિશ્વમાં ૪થા ક્રમે પહોંચી રહયા છીએ.આપણે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને ૧૦૦થી વધુ આતંકવાદીઓને માર્યા છે. આપણે આતંકવાદીઓને કડક સંદેશ આપ્યો છે.ઓપરેશન સિંદુરે વિશ્વને ભારતના સામર્થ્યની પ્રતીતિ કરાવી છે.જમ્મુ કાશ્મીરમાં મહિલા સૈનિકો તૈનાત કરવામાં આવી છે. 
  ૧૦ કરોડથી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે.૧૨ કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા છે.૧૦ કરોડ ઉજ્જવલ યોજના ગેસ કનેકશન આપ્યા છે.મુદ્રા લોન મર્યાદા ૧૦ લાખ હતી તે ૨૦ લાખ કરી છે.સ્ટાર્ટ અપ થકી ૧૭ લાખ નોકરી ઊભી કરી છે.૧૧ વર્ષમાં શિક્ષણ સંબંધી અનેક પરિવર્તનો કરાયા છે.નવી શિક્ષણ નીતિ  શરૂ કરવામાં આવી છે.પત્રકાર પરિષદની શરૂઆતમાં જિલ્લા ભાજપના પ્રવકતા કિશોર ભટ્ટ અને શહેર ભાજપના પ્રવકતા હરેશ પરમારે પત્રકારોને આવકારી તેમનું સ્વાગત કર્યું હતું.
  આ પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા,મેયર ભરતભાઈ બારડ,ડે.મેયર મોનાબેન પારેખ,શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ,જિલ્લા ભાજપ પ્રમુખ દિગવિજયસિંહ ગોહિલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application