મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર ગઈકાલે શરૂ થયું હતું. આજે સત્રના બીજા દિવસે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA)ના સભ્યોએ ધારાસભ્ય તરીકે શપથ લીધા. સત્રના પ્રથમ દિવસે (શનિવારે), રાજ્યના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા.
વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે દરેકને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. સત્રના પ્રથમ દિવસે, વિપક્ષી સભ્યોએ તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગનો આરોપ લગાવતા શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. જોકે, તમામ વિજેતા સભ્યોએ રવિવારે એટલે કે આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા.
આજે કોંગ્રેસના નાના પટોલે, વિજય વડેટ્ટીવાર અને અમિત દેશમુખ, NCP (SP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને શિવસેના (UBT)ના આદિત્ય ઠાકરેએ ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા.
શનિવારે વિપક્ષી સભ્યોએ કહ્યું હતું કે તેઓ પણ સોલાપુરના માલશિરસ વિધાનસભા ક્ષેત્રના માર્કડવાડી ગામમાં કર્ફ્યુ અને ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. અહીં ગ્રામજનોએ બેલેટ પેપરનો ઉપયોગ કરીને ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.
આદિત્ય ઠાકરેએ શપથ લેવાની ના પાડી દીધી હતી
શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ ગઈકાલે કહ્યું હતું કે અમારા વિજેતા ધારાસભ્યો શપથ લેશે નહીં. જો આ જાહેર જનાદેશ હોત તો લોકોએ ઉજવણી કરી હોત પરંતુ લોકોએ આ જીતની ક્યાંય ઉજવણી કરી નથી. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVM અંગે અમને
શંકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech