રાષ્ટ્ર્રીય શિક્ષણનિતી ૨૦૨૦માં શિક્ષણ ક્ષેત્રે સ્થાનિક સમુદાયની સક્રિયતા અને સહભાગિતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભે ૨૮ એપ્રિલના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ આવેલા અભિપ્રાયોને ધ્યાને લેતાં આગામી સત્રમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુન:રચના બાબતે મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ગાંધીનગરના વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે રાયના જિલ્લ ા શિક્ષણાધિકારીઓ, જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી ,સીઆરસી, સાથે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વીડિયો સંવાદ કર્યેા હતો.
રાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં આરટીઈ એકટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે. જેની દર બે વર્ષે પુન: રચના કરવાની હોય છે. વર્ષ ૨૦૨૫નો શાળા પ્રવેશોત્સવ શ થાય તે પહેલા એસએમએસીની રચના કરી લેવા માટે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. તેમજ સમિતિમાં સક્રિય અને રસ ધરાવતા જ સભ્યોનો સમાવેશ થાય તે ધ્યાન રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.
સમગ્ર શિક્ષા તરફથી એસએમસીની પુન: રચના સમયે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મહત્ત્વના મુદ્દાઓ સુચવ્યા છે. જેમાં સમિતિની રચના કરતા પહેલાં ગામના નાગરિકોને જાણ કરીને ફરજિયાત વાલી સભાઓ યોજાવી જોઈએ. વાલી સભામાં શાળામાં ભણતા બાળકોના વાલીઓ ખાસ હાજર રહે તેની તકેદારી રાખવી, વાલી સભામાં શાળા વ્યવસ્થાપન સમિતિનું મહત્ત્વ, તેના કાર્યેા અને ફરજો વગેરે જેવી બાબતની સમજણ આપવી, વાલીઓની તકેદારી રાખવા મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે નવા શૈક્ષણિક સત્ર શ થાય તે પહેલા રાયની તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરવી જેથી વિધાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે.આ ઉપરાંત બાળકોને શિક્ષણની સાથે યોગ્ય પોષણયુકત આહાર મળે તે અંગે પણ સુચન કયુ હતું.
સમિતિના સભ્યોની પસંદગી કરવી જોઈએ. સર્વ સંમતિથી શાળા વ્યવસ્થાપન રચના માટે યોજાતી વાલી સભાઓમાં આ ઉપરાંત સમિતિમાં શિક્ષણવિદ તરીકે વયનિવૃત્ત આચાર્ય, શિક્ષક, અધિકારી અથવા શિક્ષણમાં રસ ધરાવતા વ્યકિતને લેવામાં આવે.
તમામ સીઆરસી, બીઆરસી, ડીઈઓ , ડીપીઈઓ, વર્ગ–૨ના અધિકારીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિની પુન:ભાગ લે તેવી ભલામણ પણ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech