જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ૪૧૮ ગામોના ૧૩૨૪૯ ખેડુતોના પાકોને થયેલા નુકશાન અંગેની ખેતીવાડી વિભાગની ૪૭ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ૧૪૧ ગામોમાં થયેલા સર્વમાં ૧૮૨૧૨ હેક્ટર જમીનમાં નુકશાની થઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ નુકશાન કપાસના પાકને થયું છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકનું ૩,૪૨,૩૦૫ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીનું ૧,૮૨,૪૧૭ હેકટર, કપાસનું ૧,૭૧,૫૫૪ હેકટર જમીનમાં તેમજ તુવેરનું ૪૩૮૩, મગનું ૧૦૪૪, અળદનું ૧૬૦૮,તલનું ૧૦૫૭, શાકભાજી ૭૫૪૮ હેક્ટર સહિતના ગુવાર, ઘાસચારો, ડુંગળી સહિતના અન્ય પાકોનું વાવેતર થયું છે. ત્યારે ઓગસ્ટ માસમાં પહેલા અતિ ભારે વરસાદના કારણે જિલ્લાના ૪૧૮ ગામો અસરગ્રસ્ત થયા હતાં અને પાકોનું નુકશાન થયું હતું, જેથી ખેડુતોને વળતર આપવા માટે જામનગર જિલ્લાના ખેતીવાડી વિભાગની ૪૩ ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી છે અને ૧૪૧ ગામોનો સર્વે પુર્ણ કરવામાં આવ્યો છે.
જેમાં ૧૮,૨૧૨ હેક્ટર પાકમાં નુકશાન થયાનો આંકડો સામે આવે છે. તેમાં પણ સૌથી વધુ નુકશાન લાલપુરમાં કપાસના પાકને થયું છે. જામનગર જિલ્લામાં સર્વેની કામગીરીમાં ખેતીવાડીનો સ્ટાફ ઓછો પડતા અન્ય જિલ્લાઓ પાટણ, મહેસાણા, બોટાદ અને ગાંધીનગરમાં ૩૦ ગામ સેવકોને સર્વ માટે બોલાવવામાં આવ્યા છે. અને તેઓને સ્થાનિક ખેતીવાડીના કર્મચારીઓ સાથે રાખીને તાલુકા મથકોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech