પાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી

  • June 10, 2025 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ ભારતના મજબૂત વલણથી વિશ્વની રાજધાનીઓને અવગત કરાવવા માટે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે સાંજે મુલાકાત કરી. તમામ સભ્યોએ વડાપ્રધાન સાથે પોતાના અનુભવો શેર કર્યા. પ્રતિનિધિમંડળના સભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડિનર કાર્યક્રમ પણ છે. અહીં ચાલી રહેલી બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી હાજર નથી.





કેન્દ્ર સરકારે પહેલાથી જ ૫૦ થી વધુ વ્યક્તિઓવાળા સાત પ્રતિનિધિમંડળોના કામની પ્રશંસા કરી છે, જેમાં મોટાભાગના વર્તમાન સાંસદો છે. પૂર્વ સાંસદો અને પૂર્વ રાજદ્વારીઓ પણ આ પ્રતિનિધિમંડળોનો ભાગ હતા, જેમણે ૩૩ વિદેશી રાજધાનીઓ અને યુરોપિયન યુનિયનની મુલાકાત લીધી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application