વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી શકે છે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાયર્લિય દ્વારા જારી કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ 26 સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે.
બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને નેપાળના વડા પ્રધાનના સંબોધન પણ નિર્ધિરિત કરવામાં આવ્યા છે. આ વાર્ષિક બેઠક માટે વિવિધ દેશોના રાષ્ટ્રના વડાઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભેગા થાય છે. પીએમ મોદી પાંચમી વખત ત્યાં હાજર રહીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.
આ ઉપરાંત, 2020 માં કોવિડ રોગચાળા દરમિયાન, તેમણે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી હતી. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની મુલાકાત લેશે. તેમણે ગયા વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત લીધી હતી, જોકે સપ્ટેમ્બરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેઓ હાજર રહ્યા ન હતા. જનરલ એસેમ્બલીની વાર્ષિક બેઠકમાં, વિવિધ દેશો આંતરરાષ્ટ્રીય નીતિઓ નક્કી કરે છે અને ભાષણોમાં વિકાસ પર ટિપ્પણી કરે છે, જેનું નિરીક્ષણ કરવામાં આવે છે. પરંતુ વધુ મહત્વપૂર્ણ કાર્ય પડદા પાછળ થાય છે કારણ કે નેતાઓ ડઝનેક દ્વિપક્ષીય બેઠકો કરે છે અને વિવિધ ફોરમમાં હાજરી આપે છે.
વડાપ્રધાન મોદી હંમેશા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધતા હોય છે. આ પહેલા બુધવારે પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા ગયા હતા. અહીં ઓસ્ટ્રિયામાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને વિયેનામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર પણ હાજર હતા, જેમણે ફેડરલ ચાન્સેલરીમાં ગેસ્ટ બુક પર હસ્તાક્ષર કયર્િ હતા. પીએમ મોદી રશિયામાં બે દિવસ વિતાવ્યા બાદ ઓસ્ટ્રિયા ગયા હતા. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર શેલેનબર્ગે તેમનું સ્વાગત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech