બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સુક છે તેમને એક ખાસ પત્ર મળ્યો છે. આ પત્ર પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ પર લખ્યો છે. બાંગ્લાદેશ 26 માર્ચે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દિવસ 1971 માં ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરે છે જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને ભારતની લશ્કરી સહાયને કારણે એક સ્વતંત્ર દેશ બન્યો.
આ પત્રમાં પીએમ મોદીએ ઇતિહાસનો ઉલ્લેખ કર્યો અને 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધની અતૂટ ભાવનાને મજબૂત ભારત-બાંગ્લાદેશ સંબંધોના પાયા તરીકે વર્ણવી અને બાંગ્લાદેશને તેની સ્થાપનામાં ભારતની ભૂમિકાની સૂક્ષ્મ રીતે યાદ અપાવી.ભારતના આ પાડોશી દેશમાં બંગબંધુ શેખ મુજીબુરહમાનના વારસાને ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પત્રમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ કથિત ક્રાંતિ પછી શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને શેખ મુજીબુરહમાનને લગતા પ્રતીકો અને ચિહ્નો પર હુમલો કરવામાં આવ્યો છે.બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા શેર કરાયેલા સંદેશમાં પીએમ મોદીએ બાંગ્લાદેશના લોકોને શુભેચ્છા પાઠવી અને લખ્યું કે આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને બલિદાનનો પુરાવો છે, જેણે આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો નાખ્યો છે.
બંને દેશો વચ્ચેના સંબંધોનો સ્વીકાર કરતા તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધની ભાવના આપણા સંબંધોને માર્ગદર્શન આપી રહી છે, જે ઘણા ક્ષેત્રોમાં વિકસ્યા છે અને આપણા લોકોને નક્કર લાભો પહોંચાડ્યા છે. આપણે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેની આપણી સહિયારી આકાંક્ષાઓ અને એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતાના આધારે આ ભાગીદારીને વધુ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.ઉલ્લેખનીય છે કે 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન, ભારતે પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) ના લોકોને લશ્કરી, રાજદ્વારી અને માનવતાવાદી સહાય પૂરી પાડી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાની સેના સામે યુદ્ધ લડ્યું, જેના પરિણામે 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકા ખાતે પાકિસ્તાનનો પરાજય થયો અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજકીય વાપસીની ચર્ચા જોર પકડી રહી છે. 1971ના મુક્તિ યુદ્ધનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ બાંગ્લાદેશને સંદેશ આપ્યો છે કે બાંગ્લાદેશની રચનામાં ભારતની ભૂમિકા બંને દેશો વચ્ચેના સંબંધો માટે સંદર્ભ બિંદુ છે.ઉલ્લેખનીય છે કે શેખ હસીનાના સત્તા પરથી ગયા પછી, બાંગ્લાદેશના નવા શાસને ભારત પ્રત્યે સંઘર્ષપૂર્ણ વલણ અપનાવ્યું છે પરંતુ ઘણી બાબતો માટે ભારત પર નિર્ભર બાંગ્લાદેશ હવે ઘૂંટણિયે પડી રહ્યું છે.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને આ સંદર્ભમાં ભારતને પોતાનો સંદેશ મોકલ્યો છે. એવી ચર્ચા છે કે યુનુસ 3-4 એપ્રિલે બેંગકોકમાં યોજાનારી બિમસ્ટેક સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીને મળી શકે છે પરંતુ નવી દિલ્હીએ હજુ સુધી આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે પીએમ મોદી મોહમ્મદ યુનુસને મળશે કે નહીં.વિદેશ મંત્રી એસ જયશંકરે અગાઉ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વિનંતી પર વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી સૂત્રોએ ગઈકાલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન મોદીની દ્વિપક્ષીય બેઠકોની જાહેરાત પછીથી કરવામાં આવશે. શેખ હસીનાના ગયા પછી બાંગ્લાદેશ સરહદ પર ભારત દ્વારા કરવામાં આવી રહેલી વાડ, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઢાકાનું વર્તન અપરિવર્તનીય રહ્યું છે અને ભારતની અપેક્ષાઓ અનુસાર નથી. એટલા માટે ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને આગળ વધારવામાં સાવધાની રાખી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech