ભારતના વળતા હુમલાથી પાકિસ્તાનમાં ગભરાટ, સૈનિકો છોડી રહ્યા છે કેમ્પ, લશ્કરી છાવણીઓમાં મોટાપાયે લોકોનું સ્થળાંતર

  • May 09, 2025 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારતના 11 શહેરો પર હુમલો કર્યો હતો, જેને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેના દ્વારા 50 થી વધુ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો અને મુઝફ્ફરાબાદ ઉપરાંત લાહોર, ઇસ્લામાબાદ, કરાચી, પેશાવર અને સિયાલકોટ સહિત તેના ઘણા મોટા શહેરોને નિશાન બનાવ્યા. ભારતના આક્રમક વલણ અને જવાબી કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ સમગ્ર પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો હતો અને આર્મી કેમ્પમાં પણ ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના સિંધ કેન્ટ વિસ્તારમાં પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાની સૈનિકો આર્મી કેન્ટ વિસ્તારમાંથી ભાગી ગયા છે.


પાકિસ્તાનના સૈનિકો અને તેમના પરિવારોને હવે મોતનો ડર લાગી રહ્યો છે. ભારતની કાર્યવાહીને કારણે તેમને લાગે છે કે ગમે ત્યારે તેમના કેમ્પ પર અચાનક હુમલો થઈ શકે છે. સૂત્રો મુજબ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના સિંધ અને પંજાબની તમામ છાવણીઓમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં, પાકિસ્તાનનીના લશ્કરી છાવણીઓમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application