વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમયાત્રા સમય માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ, આ સ્થળોએ પાર્કિંગ કરી શકાશે, જુઓ આખું લિસ્ટ

  • June 15, 2025 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને અંતિમ દર્શન તથા અંતિમસંસ્કાર માટે રાખવામાં આવનાર છે, ત્યારે શહેર ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત જાળવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


આ અંગે નાયબ પોલીસ કમિશનર-ટ્રાફિક પૂજા યાદવ દ્વારા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે કે, આમ જનતાએ પાર્કિગ માટે નિયત કરાયેલી વ્યવસ્થામાં જ વાહનો પાર્ક કરવા. જેથી ટ્રાફિકમાં અવરોધ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બની શકે.


પાર્કિંગ વ્યવસ્થાની વિગતો

પાર્કિંગ-૧: વી.વી.આઈ.પી.ઓ માટે કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે ઓમકાર એપાર્ટમેન્ટની સામેથી બાજુ પાર્કિંગ માટે તિરુપતિનગર શેરી નં.૧ના ગેટથી પ્રવેશ કરવો.


પાર્કિંગ-૨: નિર્મલા સ્કૂલની અંદરના ભાગે


પાર્કિંગ-૩: સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં 


પાર્કિંગ-૪ વિરબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે પાર્કિંગ કરી શકાશે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application