છાયાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે છાશ વિતરણ કેન્દ્રથી લોકોને મળે છે ઠંડક

  • June 07, 2025 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલ છાયા ખાતે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવતા દરરોજ ૪૦૦ લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. 
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ,છાયા પોરબંદર દ્વારા ગુ‚કુળ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના શુભ આશીર્વાદ અને તેમની પ્રેરણાથી ગોલોકવાસી જશોદાબેન કલ્યાણજી દત્તાણી તથા ગોલોકવાસી પ્રતાપરાય કલ્યાણજી દતાણીની પુણ્યશ્રુતિમાં તેમના પત્ની  સુધાબેન પ્રતાપરાય દત્તાણી તથા પુત્ર આનંદભાઈ પ્રતાપરાય દત્તાણીની સંપૂર્ણ આર્થિક સેવાથી શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલ છાયા ખાતે છેલ્લા એક માસથી ઉનાળાના આ દિવસોમાં છાશનું વિતરણ કરવામાં આવે છે. પ્રતિદિન સવારના આઠથી નવ વાગ્યા સુધી છાસ બનાવીને આપવામાં આવે છે. આ છાસ વિતરણ કેન્દ્રનો લાભ જ‚રિયાતમંદ લોકો લઈ રહ્યા છે. ગાળેલા પાણીથી રોજ ૪૦૦ લીટર છાશ બીજી વખત કપડાથી ગાળી અને આપવામાં આવે છે.  સુધાબેન અને આનંદભાઈની આ સેવાથી છાયા વિસ્તારમાં રહેતા સામાન્ય અને ગરીબ વર્ગના લોકો તેમજ મજૂર વર્ગના લોકો પણ આ છાશ વિતરણની વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. છાશને લઈ જનાર લોકો પણ ખૂબ સંતોષ સાથે આવી સેવા કરનાર દાતાને શુભ આશીર્વાદ પણ આપે છે અને પ્રશંસા પણ કરે છે. ગોલોકવાસી પ્રતાપભાઈ દતાણી અને તેમના પત્ની સુધાબેન દતાણી તરફથી વર્ષોથી પોરબંદર અને ખંભાળિયા વિસ્તારમાં અનેક પ્રકારની શૈક્ષણિક, સામાજિક અને આરોગ્યની સેવા કાયમને માટે થતી રહેતી હતી. પ્રતાપભાઈ દતાણી આપણે વચ્ચેથી આકસ્મિક વિદાય લઈને ગોલોકવાસી થયા પરંતુ પ્રતાપભાઈની આ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય વિશેની સેવાને તેમના પત્ની સુધાબેન અને પુત્ર  આનંદભાઈ દત્તાણી સારી રીતે આ સેવાના વારસાને સતત નિભાવી રહ્યા છે અને આગળ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application