ભારતીય સેનાએ રાત્રીના પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી આંતકવાદીઓના ઠેકાણાઓ પર હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો. સર્જીકલ સ્ટ્રાઇક બાદ દેશભરમાં એલર્ટ અપવામાં આવ્યું છે.ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા શહેર-જિલ્લામાં સતત પેટ્રોલીંગ કરવામાં આવશે. કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ જણાઇ તો તુરંત કરવા થાણા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
22 એપ્રિલના જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી હત્યા કરી હતી. આતંકી હુમલાની આ ઘટના બાદ દેશભરમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતે આ હુમલાનો સર્જીકલ સ્ટ્રાઈક કરી બદલો લીધો છે. રાત્રિના પાકિસ્તાનના પંજાબ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના નવ આતંકવાદી ઠેકાણા ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. સર્જીકલ સ્ટ્રાઈક બાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ રાત્રીના જ એલર્ટના ડીજી ઓફિસથી આદેશ મળતા રાજકોટ શહેર અને જિલ્લાની પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને શંકાસ્પદ કોઈપણ ગતિવિધિ જણાઇ તો તુરંત જાણ કરવા તેમજ ડીજી ઓફિસ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
ભારતીય વાયુસેનાએ રાત્રિના કરેલી સર્જીકલ સ્ટ્રાઇક બાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટો બંધ કરી દેવામાં આવી છે. સર્જીકલ સ્ટ્રાઈકના પગલે રાત્રિના જ રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનરને એલર્ટ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
એલર્ટની આ સ્થિતિ અંગે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર જાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈકની ઘટના બાદ ડીજી ઓફિસ તરફથી અપાયેલા આદેશના પગલે રાજકોટ પોલીસ એલર્ટમાં મોડમાં છે. તમામ થાણા અધિકારીઓને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં ક્યાંય પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ જાણ કરવા માટે પણ જણાવી દેવાયું છે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. સર્જીકલ સ્ટ્રાઈક બાદ ક્યાંય પણ કોઈ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાશે તો તુરંત તે અંગે જાણ કરવા માટે પોલીસ સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે.
બીજી તરફ આ અંગે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસવડા દ્વારા અપાયેલા આદેશના પગલે જિલ્લામાં તમામ પોલીસ મથકના થાણા અધિકારીઓને સતત પેટ્રોલિંગ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ સ્થળે શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાશે તો તે અંગે તુરંત કાર્યવાહી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech