સંબંધ દાવે ૩ લાખ લીધા પછી ૫૦ હજાર ચૂકવી અઢી લાખનો ખોટી સહીવાળા ચેક પધરાવી દઈ છેતરપિંડી આચરી
જામનગર માં નીલકમલ સોસાયટીમાં રહેતા એક વેપારી સાથે સંબંધ દાવે રૂપિયા ૩ લાખ લીધા પછી માત્ર ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવી અઢી લાખ રૂપિયાનો ખોટી સહી વાળો ચેક પધરાવી દઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વિનોદરાય ખખ્ખર નામના વેપારી પાસેથી તેના પાડોશમાજ રહેતા મુકેશ રામભાઈ રાઠોડ નામના શખ્સે ત્રણ લાખ રૂપિયા લીધા હતા, અને તેની પરત ચુકવણીના ભાગરૂપે ૫૦ હજાર રૂપિયા રોકડા પરત આપ્યા હતા, જ્યારે બાકીની અઢી લાખની રકમનો ચેક લખી આપ્યો હતો.
જે ચેક અંગેની ખરાઈ કરતાં ઉપરોક્ત ચેક ખોટી સહી વાળો હોવાથી બેંકમાંથી પાછો ફર્યો હતો. જેથી વેપારીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી જામનગરના સીટી સી. ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો, અને મુકેશ રાઠોડ સામે રૂપિયા અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્ર – કચ્છના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
May 07, 2025 03:49 PMયુદ્ધના અંદેશાથી સોનાના ભાવમાં ફરી થયો ભડકો: એક લાખને પાર
May 07, 2025 03:48 PMજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech