ભાવનગર નીલમબાગ પોલીસ દ્વારા મોડી રાત્રે શહેરના વડવા, વડવા તલાવડી, ચાવડીગેટ તેમજ અલ્કા સિનેમા સહિત આજુબાજુના વિસ્તારોમાં બાંગ્લાદેશી સહિત અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા નાગરિકોને શોધી કાઢવા ચેકીંગ હાથ ધરાયું હતું. જો કે સમગ્ર કાર્યવાહી દરમ્યાન એક પણ ઘુસણખોર મળી ન આવ્યો હોવાનું નીલમબાગ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ૨૭ જેટલાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આતંકીઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ભાવનગર સહિત રાજ્યના તમામ જિલ્લા પોલીસને કરેલા આદેશથી સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં થોડા દિવસો પૂર્વે સ્પેશલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ તમામ ડિવિઝન પોલીસે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાનમાં ગત મોડી રાત્રીના નીલમબાગ પોલીસ મથક વિસ્તારમાં નીલમ બાગ પોલીસ કાફલાએ "મિશન ઘુસાખોરો" હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. અને શહેરના ચાવડીગેટ, વડવા તલાવડી તેમજ અલકા સિનેમા રોડ, સહીતના વિસ્તારમાં પરપ્રાંતિય અને વિદેશી નાગરિકોના આધાર-પુરાવાઓ ચકાસયા હતા.
આ ઉપરાંત નીલમબાગ પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ લોકોના દસ્તાવેજ સહિતના પૂરબાઓની ચકાસણી માટે પોલીસ મથકે બોલવાયા હતા. કાર્યવાહી દરમ્યાન જોકે ભાવનગરમાં હજુ સુધી કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા ન હોવાનું નીલમબાગ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech