પંજાબના એક વરિષ્ઠ પોલીસ અધિકારીને એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના ઈન્ટરવ્યુના રેકોર્ડિંગની સુવિધા આપવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે. આ મુલાકાત ત્યારે લેવામાં આવી હતી જ્યારે તે ખરારમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં હતો. વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગુરશેર સિંહ સંધુએ તેમની ગેરવર્તણૂક અને ફરજમાં બેદરકારીથી પોલીસ વિભાગની છબીને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હતુ. પંજાબ સરકારે પોલીસ કસ્ટડીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઈન્ટરવ્યુના રેકોર્ડિંગની સુવિધા આપવા બદલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીએસપી) રેન્કના અધિકારીને બરતરફ કયર્િ છે.
બરતરફીનો આદેશ ગૃહ વિભાગના સચિવ ગુરકીરત કિરપાલ સિંહ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. ડીએસપી ગુરશેર સિંહ સંધુને બરતરફ કરવા માટે સરકારે બંધારણની કલમ 311 હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કર્યો, નોંધનીય છે કે એક ખાનગી ન્યૂઝ ચેનલે બિશ્નોઈના બે ઇન્ટરવ્યુ પ્રસારિત કયર્િ હતા. જે કસ્ટડીમાં જ લેવાયા હતા. બરતરફીના આદેશ અનુસાર, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) એ તારણ કાઢ્યું હતું કે પંજાબ પોલીસ સર્વિસ (પીપીએસ) અધિકારી સંધુએ તે સમયે એક ટીવી ચેનલને બિશ્નોઈના ઈન્ટરવ્યુના રેકોર્ડિંગની સુવિધા આપી હતી, જ્યારે તે સીઆઈએ, ખરારની કસ્ટડીમાં હતો. લોરેન્સ બિશ્નોઈ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા સંબંધિત કેસમાં આરોપી છે. ઓક્ટોબરમાં તેમના ઇન્ટરવ્યુના સંબંધમાં સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયાહતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech